અમદાવાદ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

શહેરના જુદા જુદા વિસ્તારોમાં બનાવવામાં આવેલા 1600 જેટલા EWSના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. આગામી બે મહિનામાં આ મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. મોટેરામાં એકલવ્ય સ્કીમના આવાસ માટે બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન આપવામાં આવ્યું છે અને ટુંક સમયમાં આ મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી દૂર કરીને ઝૂંપડાવાસીઓને EWSના મકાનો ડ્રો કરીને ફાળવવામાં આવે છે. મ્યુનિ. દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને પાકાં મકાનોનો લાભ મળે તે હેતુસર શહેરના તમામ વોર્ડમાં આર્થિક રીતે નબળા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે ત્યારે દરેક વોર્ડમાં EWS બનાવવા જોઈએ. શહેરના ગોતા, મોટેરા- ચાંદખેડા, સહિતના વિસ્તારોમાં EWS મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.
શહેરના તમામ બ્રિજ અને BRTS લેનમાં આવેલા રોડના સરફેસમાં ઘસારો થાય છે. વાહનોના કારણે ટોપ વહેરિંગ સરફેસમાં ઘસારો થતા ખાડા પડે છે અને રોડ તૂટવાની પણ ઘટના બનતી હોય છે. નાના મોટા ખાડાના કારણે ઘણી વાર વાહનનો અકસ્માત પણ થતો હોય છે જેથી આવા અકસ્માતો ને ટાળવા જે પણ ખાડાઓ પડ્યા છે. રોડ પર ઘસારો થયો છે તેને રીપેર કરવા માટે થઈ કજે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં રૂ. 89 લાખના ખર્ચે રીપેરીંગ કરવાની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે. કોલ્ડ ઈમલઝન ઇન્જેક્શન પદ્ધતિથી ખાડાઓને રીપેર કરવાની કામગીરી કરવાના વાર્ષિક રેટના કોન્ટ્રાક્ટને અંદાજિત ભાવથી 10 ટકા ઓછા ભાવે કામગીરી સોંપવામાં આવી છે.