Friday, December 16, 2022

અવતાર 2'નું એડવાન્સ બુકિંગ ભારતમાં 20 કરોડને પાર, ફિલ્મ ચેન્નાઈમાં રિલીઝ નહીં થાય !

Advance Booking Of ‘Avatar 2’ : હોલીવુડની બહુપ્રતિક્ષિત ફિલ્મ (Avatar The Way Of Water) આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

અવતાર 2'નું એડવાન્સ બુકિંગ ભારતમાં 20 કરોડને પાર, ફિલ્મ ચેન્નાઈમાં રિલીઝ નહીં થાય !

‘અવતાર 2’નું એડવાન્સ બુકિંગ ભારતમાં 20 કરોડને પાર

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

હવે હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર‘ની સ્ટોરી જોવા માટે તૈયાર થઈ જાઓ. 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મનો બીજો ભાગ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. 13 વર્ષની મહેનત બાદ જેમ્સ કેમરૂન ફરી એકવાર પોતાના દર્શકોની વચ્ચે હાજર છે. આ ફિલ્મ જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

અવતાર ધ વે ઓફ વોટર રિલીઝ પહેલા જ ચર્ચામાં રહેતી હતી. ફિલ્મની નાની-નાની સ્ટોરી પર ચાહકોની નજર રહેતી હતી. ફિલ્મની રિલીઝ બાદ એ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે, અવતાર ધ વે ઓફ વોટરનું એડવાન્સ બુંકિગની કમાણીએ સૌ કોઈ દંગ કરી દીધા છે. ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગમાં 20 કરોડનો કારોબાર કરી લીધો છે.

મળતી જાણકારી અનુસાર ફિલ્મને ગુરુવાર રાત્ર સુધીમાં ભારતમાં એડવાન્સ બુકિંગમાં 20 કરોડથી વધુની કમાણી કરી છે. ભારતમાં આટલા સુધી આંકડા પર પહોંચનારી અવતાર 2 પાંચમી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા કેજીએફ ચેપ્ટર 2નો રેકોર્ડ બરાબર છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દરમિયાન 80 કરોડની ટિકિટ વહેંચી હતી.એક તરફ, ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ને લઈને ચાહકોમાં ભારે ચર્ચા છે. ચેન્નાઈના લોકો માટે પણ ખરાબ સમાચાર છે.

ચેન્નાઈના લોકો માટે ખરાબ સમાચાર

અહેવાલો અનુસાર ચેન્નાઈમાં અવતાર ધ વે ઓફ વોટર રિલીઝ થશે નહિ. આ વાત પરથિયેટર માલિકો કહે છે કે તેઓ ડિઝની સ્ટુડિયો સાથે અનુકૂળ સોદો કરવા સક્ષમ ન હતા. જોકે, ચેન્નાઈમાં થિયેટર માલિકોએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે અવતાર: ધ વે ઑફ વૉટર તેમની સંબંધિત મિલકતોમાં રિલીઝ થઈ રહી નથી કારણ કે તેઓ ડિઝની સ્ટુડિયો સાથે અનુકૂળ શરતો પર આવી શક્યા નથી,

Related Posts: