જૂનાગઢ8 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વર્ષ 2001માં કાયદો અમલમાં આવ્યો છે
- કુતરા પકડવાના પાંજરા કાટ ખાઇ ગયા, ટેન્ડરમાં લાખ્ખો ખર્ચ છત્તાં કાર્યવાહી શૂન્ય
જૂનાગઢ મહાનગરપાલિકામાં કુતરા પકડવાની કે ખસીકરણની કામગીરી સત્વરે શરૂ કરાવી પ્રજાને કુતરાનાત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરાઇ છે. આ અંગે વિપક્ષીનેતા અદ્રેમાનભાઇ પંજાએ મનપાના કમિશ્નર, મેયરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, વર્ષ 2001માં એનિમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સ આવ્યો છે. તેમ છત્તાં 22 વર્ષ પછી પણ જૂનાગઢ મહાનગરપાલિકા તેનો અમલ કરાવી શકી નથી. કુતરાને પકડવાની કે ખસીકરણની કામગીરી થતી ન હોય શહેરના તમામ વિસ્તારોમાં કુતરાની સંખ્યા બેફામપણે વધી જતા ત્રાસ અસહ્ય થઇ ગયો છે.
કુતરા લોકોને બચકાં ભરી લે છે, વાહનો પાછળ દોડી વાહન ચાલકોને પછાડી દે છે, નાના બાળકોને પણ ઇજાગ્રસ્ત બનાવ છે. મહાનગર પાલિકાની અણઆવડતના કારણે અનેક વખત વર્ક ઓર્ડર કેન્સલ કરવો પડ્યો છે. પરિણામે કુતરા પકડવાના પાંજરા પણ હાલ કાટ ખાઇ રહ્યા છે. મનપા માત્ર ટેન્ડરની પ્રક્રિયા પાછળ જ પ્રજાના ટેક્ષના લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યો છે છત્તાં કામગીરી હજુ શરૂ થઇ શકી નથી. આમ, લાખ્ખો રૂપિયાના ખર્ચ પછી કામગીરી શૂન્ય જ રહી છે. ત્યારે કુતરા પકડવાની અને તેના ખસીકરણ કરવાની કામગીરી સત્વરે શરૂ કરવા અદ્રેમાન પંજાએ માંગ કરી છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં ઇન્જેકશન નથી – ખાસ તો કુતરા કરડ્યા બાદ સારવાર માટેના ઇન્જેકશન મનપાના એકપણ અર્બન હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ નથી. પરિણામે લોકોને સિવીલમાં અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે. માટે અર્બન હેલ્થ સેન્ટરમાંથી ઇન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઇ છે.