શહેરના શાહીબાગમાં આવેલી સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાજેન્દ્રકુમાર જૈન પત્ની અને દીકરા સાથે રહે છે. દરિયાપુર ખાતે તેઓ મેટલની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 22મીની રાત્રે દુકાનેથી તેઓ ઘરે આવ્યા હતા. બાદમાં તેઓ જમીને ચાલવા ગયા હતા ત્યારે તેમના પત્ની ઘરે હાજર હતા અને દીકરો જેસલમેર ફરવા ગયો હતો. વોકિંગ કરીને આવેલા રાજેન્દ્રકુમાર મુખ્ય દરવાજો અને તેની સાથેનો અન્ય દરવાજો બંધ કરી સુઇ ગયા હતા. બેડરૂમમાં ગેલેરીનો દરવાજો કાયમ માટે ખુલ્લો રાખતા હોવાથી તે દરવાજો તેઓએ ખુલ્લો રાખીને સુઇ ગયા હતા.
આ પણ વાંચો: એક સમયે કરોડોમાં રમતા ગુજ્જુ ખેલાડીને છેલ્લી 4 સિઝનથી થઈ રહ્યો છે લોસ
જોકે સવારે ઉઠ્યા ત્યારે ચાલવા માટે જતા હતા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોયો હતો. તેઓએ તેમના પત્નીને ઉઠાડીને દરવાજો બંધ કરવા બાબતે પૂછપરછ કરી હતી. ત્યાં દીકરાના બેડરૂમનો દરવાજો જોયો તો તે પણ ખુલ્લો હતો. દીકરાના બેડરૂમમાં જઇને જોયું તો કબાટ અને તીજોરીમાં બધુ અસ્ત-વ્યસ્ત હાલતમાં સામાન પડ્યો હતો. વહેલી સવારે જેસલમેર ફરવા ગયેલો દીકરો પરત આવ્યો અને ઘરમાં બધી જગ્યાએ તપાસ કરી તો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 24.70 લાખની મતા ચોરી થઇ હતી.
જેથી સમગ્ર મામલે રાજેન્દ્રકુમારે શાહીબાગ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરી અંગેની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં જ બાપુનગરમાં 20 લાખની લૂંટ થઈ હતી. જે કેસમાં અનેક સમય બાદ આરોપીઓ તો ઝડપાયા પણ ત્યાં બીજો એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિકની અવરજવર વાળા આઈ.આઈ.એમ રોડ પર લોકોની અવર જવર વચ્ચે જ બે લોકો વેપારીના 10 લાખ લઈ ફરાર થઇ ગયા હતા. ત્યાં વધુ એક મોટી રકમની ચોરી થતાં પોલીસની કામગિરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનેલા આ તમામ બનાવમાં તસ્કરો કે લૂંટારૂઓ કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે તે એક સવાલ છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ