Friday, December 23, 2022

24.70 lakh votes stolen from house in Samriddhi Society in Shahibagh

અમદાવાદઃ શહેરમાં એક બાદ એક ચોરીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. લોકોના ઘરમાંથી તસ્કરો કિંમતી મતા ચોરી કરી ફરાર થઇ રહ્યા છે. હજુ તો એક વેપારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી આઇ.આઇ.એમ પાસે પહોંચ્યા ત્યારે બે લોકો અકસ્માતનું નાટક કરી ઝઘડો કરી 10 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ત્યાં હવે પૂર્વ વિસ્તારમાં એક મોટી રકમની ચોરીનો બનાવ બન્યો છે. એક વેપારી ભર ઠંડીમાં રાત્રે પરિવારજનો સાથે સુઇ ગયા હતા. પણ સવારે ઉઠ્યા ને ઘરની હાલત જોઇને તેઓનો પરસેવો છુટી ગયો હતો. તસ્કરો તેમના ઘરમાંથી 24.70 લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના શાહીબાગમાં આવેલી સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાજેન્દ્રકુમાર જૈન પત્ની અને દીકરા સાથે રહે છે. દરિયાપુર ખાતે તેઓ મેટલની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 22મીની રાત્રે દુકાનેથી તેઓ ઘરે આવ્યા હતા. બાદમાં તેઓ જમીને ચાલવા ગયા હતા ત્યારે તેમના પત્ની ઘરે હાજર હતા અને દીકરો જેસલમેર ફરવા ગયો હતો. વોકિંગ કરીને આવેલા રાજેન્દ્રકુમાર મુખ્ય દરવાજો અને તેની સાથેનો અન્ય દરવાજો બંધ કરી સુઇ ગયા હતા. બેડરૂમમાં ગેલેરીનો દરવાજો કાયમ માટે ખુલ્લો રાખતા હોવાથી તે દરવાજો તેઓએ ખુલ્લો રાખીને સુઇ ગયા હતા.

આ પણ વાંચો: એક સમયે કરોડોમાં રમતા ગુજ્જુ ખેલાડીને છેલ્લી 4 સિઝનથી થઈ રહ્યો છે લોસ

જોકે સવારે ઉઠ્યા ત્યારે ચાલવા માટે જતા હતા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોયો હતો. તેઓએ તેમના પત્નીને ઉઠાડીને દરવાજો બંધ કરવા બાબતે પૂછપરછ કરી હતી. ત્યાં દીકરાના બેડરૂમનો દરવાજો જોયો તો તે પણ ખુલ્લો હતો. દીકરાના બેડરૂમમાં જઇને જોયું તો કબાટ અને તીજોરીમાં બધુ અસ્ત-વ્યસ્ત હાલતમાં સામાન પડ્યો હતો. વહેલી સવારે જેસલમેર ફરવા ગયેલો દીકરો પરત આવ્યો અને ઘરમાં બધી જગ્યાએ તપાસ કરી તો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 24.70 લાખની મતા ચોરી થઇ હતી.

જેથી સમગ્ર મામલે રાજેન્દ્રકુમારે શાહીબાગ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરી અંગેની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં જ બાપુનગરમાં 20 લાખની લૂંટ થઈ હતી. જે કેસમાં અનેક સમય બાદ આરોપીઓ તો ઝડપાયા પણ ત્યાં બીજો એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિકની અવરજવર વાળા આઈ.આઈ.એમ રોડ પર લોકોની અવર જવર વચ્ચે જ બે લોકો વેપારીના 10 લાખ લઈ ફરાર થઇ ગયા હતા. ત્યાં વધુ એક મોટી રકમની ચોરી થતાં પોલીસની કામગિરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનેલા આ તમામ બનાવમાં તસ્કરો કે લૂંટારૂઓ કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે તે એક સવાલ છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ

Related Posts: