Monday, December 5, 2022

સુરેન્દ્રનગરમાં ડાયાબિટિસ અવેરનેશ અને સારવાર માટે 42 વર્ષથી સેવાયજ્ઞ ચલાવવામાં આવેછે | Sevayagya has been running for 42 years for diabetes awareness and treatment in Surendranagar.

સુરેન્દ્રનગર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દર મહિનાના પહેલા રવિવારે કેમ્પનું આયોજન કરી ડાયાબિટિસના દર્દીઓને નિ:શુલ્ક ચેકઅપ, સારવાર અપાય છે
  • લાયન્સ ક્લબ મેઇન દ્વારા આપવામાં આવતી સેવાનો 10 હજારથી વધુ લોકોએ લાભ લીધો

સુરેન્દ્રનગર લાયન્સક્લબ મેઇન દ્વારા વર્ષ 1980થી ડાયાબીટીસના દર્દીઓ માટે સેવા કાર્યનું આયોજન કરવામાં આવે છે.જેમાં દર મહિનાના પ્રથમ રવિવારે કેમ્પ યોજી નિશુલ્ક ચેકઅપ અને સારવાર કરાવાય છે.જેમાં 42 વર્ષમાં 10 હજારથી વધુ લોકોએ આનો લાભ લીધો હતો.

સુરેન્દ્રનગર લાયન્સ ક્બલ મેઇન દ્વારા વર્ષ 1972થી ક્લબની સ્થાપના થયા બાદ જિલ્લામાં સીનિયર સિટીઝન માટે કેમ્પ, બાળકલ માટે કેમ્પ, ચક્ષુદાન, વિધવા સહાય,આોર્થોપેડીક સાધન સહાય સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિ કરાવવામાં આવે છે.આ કલબ દ્વારા લોકોને ડાયાબીટીસથી બચાવવા અને ડાયાબીટીસ દર્દીઓને નિશુલ્ક ચેકઅપ અને સારવાર માટે સેવાકાર્ય ચલાવાય છે.\

આ અંગે લાયન્સ ક્લબના ઉદયનભાઇ દવેએ જણાવ્યુકે લાયન્સ ક્લબના અશોકભાઇ ધામેચાને ડાયાબીટીસ હોવાથી તેઓએ ડાયાબીટીસના દર્દીઓને મદદરૂપ થવા આયોજન કરતતા 1980માં ડો.પ્રવિણભાઇ ખારોડની મદદથી સેવાકાર્યશરૂ થયુ હતુ.જેમાં ડાયાબીટીસના દર્દીઓનું નિશુલ્ક ચેકઅપ અને સારવાર અપાય છે.

ડાયાબીટીસના દર્દીઓને આર્થિક રીતે ઘણીવખત ટેસ્ટ મોંઘા પડતા હોવાથી લેબટેસ્ટની સેવા પણ અપાય છે.અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.શહેરમાં દર મહિનાના પહેલા રવિવારે લાયન્સ ક્લબ દ્વારા ડાયાબીટીસના દર્દીઓમાટે કેમ્પ યોજાય છે.હાલ 82 લોકો તેના કાયમી સભ્યો છે.

ત્યારે રવિવારના રોજ લાયન્સ હોલ વાદીપરા ખાતે રવિવારે કેમ્પનું આયોજન કરાયુ હતુ.જેમાં ડો.નરેન્દ્રસિંહ વર્માએ 70 દર્દીઓને આંખોનું ચેકઅપ કરી આપવાની સેવા આપી હતી.આ આયોજન સફળ બનાવવા અમિત વોરા, મુકેશ વસાણી, મિતેષ વોરા સહિત લાયન્સ ક્લબ સભ્યોએ સેવા આપી હતી.

ભોજનમાં થોડી પરેજી અને આયુર્વેદની મદદથી કંટ્રોલમાં રહે
આયુર્વેદમાં ડાયાબીટીસને મધુમેહ કહેવાય જે પ્રમેદથી થાય છે પ્રમેદ 20 પ્રકારનાહોય છે.ડાયાબીટીમાં બ્લડ સુગર કાબુમાં રાખવા છે આમળા અને હળદર બેસ્ટ તે કોઇપણ ઉમરના કે ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબીટીસ દર્દીને ઉપયોગી છે.

મામેજવા દવા ટાઇપ 2ના ડાયાબીટીસ માટે જ્યારે વીજયસાર દવા અને વિજયસારના લાકડામાંથી બનેલા વાસણમાં આખો દિવસ પાણી રાખી નયણા કોઠે સવારે પીવાથી લાભ રહેશેછે.ખાંડ નખાવી,ઘઉંના બદલે જઉની રોટલી, કંદમુળ બંધ કરવા, તાજો ખોરાક લેવો અને ભુખ લાગે તેના 25થી 30 ટકાઓછુ ભોજન કરવુ સહિત ચરી પાડવાથી લાભ વધુ મળે. > ડો.નિલેશ સરવૈયા, આયુર્વેદ નિષ્ણાંત

આંખોનું નિયમિત ચેક અપ કરાવતા રહેવુ
ડાયાબીટીસથી આંઓને નુકશાન થવાની સંભાવના વધુ રહે છે.આ દર્દીઓની આંખોને કાચીનશો બનવી, આંખોમાં લાલ નશો દેખાવી, તે લાલ નશોમાથી લોહી આવવુ સહિત સમસ્યા થાય છે જેના લીધે રેટીનાને નુકશાન થવાથી આંખોની રોશની જવાની શક્યતા રહે છે.ડાયાબીટીસના દર્દીઓને મોતીયો જલદી પાકી જાય છે માટે આંખોમાં ઝાંખપ આવે કે સતત નંબર વધે તો દર્દીએ નિયમીત ચેકઅપ કરાવવુ જોઇએ. > ડો.નરેન્દ્રસિંહ વર્મા, આંખના રોગ નિષ્ણાંત.

નિયમિત યોગાથી ડાયાબિટિસના દર્દીઓને લાભ મળે છે
​​​​​​​ડાયાબીટીસના દર્દીઓ માટે પ્રાણાયામ આશન, કપાલભાતી, ત્રીબંધ પ્રાણાયામ, અગ્નીસર પ્રાણાયામ, મન્દુકાસન, સાશકાસન, વક્રાસન, અર્ધમત્સયાસન લાભ કારી છે. નિયમીત આ આશન કરવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે અને કુદરતી નવુ ઇન્સયુલીન બનવાથી રાહત મળે છે. > સોનલબેન સોની, યોગ કોચ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: