આટકોટ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

- અરજદારોને ઘરઆંગણે જ મળી આરોગ્ય, વહીવટી તંત્ર સંલગ્ન સુવિધા
મધ્યમવર્ગના પરિવારોને વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર સંબંધી પ્રશ્નો કે સમસ્યાઓનો એક જ સ્થળે હકારાત્મક ઉકેલ આવી શકે તે માટે સરકારે સેવાસેતુ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં કિસાનોને જરૂરી દાખલાઓ, આધાર કાર્ડ, વેક્સિનેશન સહિતની મહત્વની કામગીરીઓ માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળેથી મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ આવી શકે અને અરજદારોનો સમય અને ખર્ચ બચે તેવું આયોજન કરાયું છે જે અનુસંધાને આટકોટ મુકામે તાજેતરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી સહિતનાઓએ તેમાં હાજરી આપી અરજદારોની સમસ્યા ઉકેલવામાં યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં વિચરતી જાતિના 55 પરિવારને પોતાની માલિકીનું ઘર મળી રહે તે માટે 100 ચોરસ વારના પ્લોટની સનદનું વિતરણ કરવા સહિતના કામ આટોપાયા હતા. આટકોટમાં વીરબાઈ કન્યા પ્રાથમિક શાળામાં સરકારના અભિગમ સાથે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિચરતી વિમુક્ત જાતિ તેમ જ એસીએસટી જાતિના કુલ 55 લોકોને 100 ચોરસ વારના પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ જસદણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર જ દરેક અરજદારોના પ્રશ્નનો નિકાલ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના સરકારી વહીવટી તંત્રના વડા તરીકે પ્રાંત અધિકારી, જસદણ મામલતદાર, જસદણ ટીડીઓ સહિત તમામ વિભાગના અધિકારીઓ સવારના 10:30 થી લઈ સાંજના પાંચ વાગ્યા સુધી હાજર રહ્યા હતા અને અરજદારોને તાલુકાની કચેરીએ ધક્કો ન ખાવો પડે તે માટે દરેક અરજદારોને સીધો લાભ મળે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.