ગીર સોમનાથ (વેરાવળ)એક કલાક પહેલા
વેરાવળ બાર એસોસીએશનની યોજાયેલી રસાક્સીભરી ચૂંટણીમાં મતગણતરીના અંતે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મુખ્ય છ હોદ્દાઓ ઉપર બંને પેનલના ત્રણ ત્રણ ઉમેદવારો વિજય થયેલા છે. જેમાં પ્રમુખ તરીકે સુર્યકાન્તભાઈ સવાણીનો 12 મતે તથા સામેની પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર કાંતિલાલ ગણાત્રાનો 36 મતે વિજય થયો છે. પરિણામો જાહેર થયા બાદ વિજય ઉમેદવારોને વકીલ મિત્રો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા.

વેરાવળ બાર એસો.ના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે મુખ્ય ચૂંટણી અધિકારી એડવોકેટ વિજયકુમાર માવાધીયાના નેજા હેઠળ ભદ્રેશભાઈ જેઠવા, રાજીવભાઈ વયાટા સાહિતનાઓએ કરી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબેરીયન તેમજ 15 કારોબારી સભ્યોના હોદ્દાઓ માટે 32 ઉમેદવારો ચૂંટણીમાં હતા. જેમાં બાર એસો.ના 289 રજીસ્ટેડ પૈકી 261 એડવોકેટોએ મતદાન કર્યું હતુ. જે મતદાનની ગણતરીના અંતે પ્રમુખ પદના ઉમેદવાર જયેશ કાનજીભાઈ મેર સામે સૂર્યકાંતભાઈ સવાણીનો 12 મતે વિજય થયો હતો. જયારે ઉપપ્રમુખ પદ ઉપર ઉમેદવાર ચિરાગ કક્કડ સામે સામેની પેનલના ઉમેદવાર કાંતિલાલ ગણાત્રાનો 36 મતે વિજય થયો હતો.

જયારે સેક્રેટરી પદે મોનિકાબેન પાટીલ સામે આબિદભાઈ ઈશાભાઈ સુમરાનો 17 મતે, જોઈન્ટ સેક્રેટરી પદે પ્રેમજીભાઈ ઉર્ફ પ્રેમ હાજાભાઇ સામે જશુભાઈ સોલંકીનો 36 મતે, ખજાનચી પદે ધર્મેન્દ્રભાઈ ચાવડાની સામે મંજુબેન ગોહિલનો 14 મતે, લાઇબ્રેરીયન પદે મયુરભારથી ગૌસ્વામી સામે ગોવિંદભાઈ તેજવાણીનો 19 મતે વિજય થયો હતો. આમ બાર એસો.ના મુખ્ય છ હોદ્દાઓ ઉપર બંને પેનલના ત્રણ ત્રણ ઉમેદવારો વિજય થયા હતા.

જયારે બાર એસો.ના કારોબારી સભ્ય પદ માટે લડતા 20 પૈકી 15 ઉમેદવારો વિજય બન્યા હતા. જેમાં (1) નિકુંજભાઈ સિકોતરા, (2) રાજેશભાઈ દરી, (3) મુકેશભાઈ યાદવ, (4) તારાબા જેઠવા, (5) સંજય પંપાણીયા, (6) ભાવિનભાઈ રૂપારેલ, (7) પુષ્પાબેન નથવાણી, (8) પંકજભાઈ બુચ, (9) સાહિલભાઈ સીડા, (10) માધુરીબેન નિમાવત, (11) પરેશભાઈ ટીંબાણીયા, (12) ફેજલભાઈ હાલાઈ, (13) વિરજીભાઈ ધોળીયા, (14) હસમુખભાઈ લાખાણી, (15) મુકેશભાઈ મોરીનો વિજય થયો હતો. ચૂંટણીમાં વિજય થયેલા તમામ ઉમેદવારોને હારતોરા કરી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા.

