Saturday, December 24, 2022

વિજાપુરના કોબ્રા ગેંગના 7 શખ્સો વિરુદ્ધ ખનીજ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ | A complaint was registered against 7 persons of Cobra gang of Bijapur regarding theft of minerals

સાબરકાંઠા (હિંમતનગર)41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રાંતિજના તાલુકાના વાઘપુર ગામની સીમમાં આવેલ સાબરમતી નદીના પટમાં રેતીના બ્લોકમાંથી કુલ રૂપિયા 85,93,545ની રેતી ખનીજની ચોરી કરી લઇ જઇ બ્લોકના માલિકને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ મથકમાં વિજાપુર તાલુકાના સંઘપુર ગામના 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાનથી મારી નાખવાની ધમકી આપી
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજના વાઘપુર ગામની સીમમાં આવેલ સાબરમતી નદીના પટમાં રેતીના બ્લોક સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા. આ બ્લોક લીઝમાં છેલ્લા પંદરેક દિવસથી કેટલાક અસામાજિક તત્વો રેતીની ચોરી કરતા હોવા અંગે બ્લોક લીઝ માલિક અનિલ ઇટાલીયાને જાણ થતા તે બ્લોક લીઝ માલિકે ખાનગીમાં તપાસ કરી હતી. જે દરમિયાન માલુમ પડયુ હતુ કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જુના સંઘપુર તથા નવા સંઘપુર ગામના કોબ્રા ગેંગ તરીકે ઓળખાતા ઇસમો રેતી ખનીજની ગેંગ બનાવી ચોરીઓ કરે છે. તેઓ હિટાચી, જેસીબ, સેની, જેવા પોકલેન્ડ મશીનો લાવી ચોરી કરતા હોવાથી લીજ માલિક દ્વારા કેમ તમો અમારા બ્લોક લીઝમાં ચોરી કરો છો. તેમ કહેતા તેને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ અહીંયા ખાડો કરીને દાટી દઇશુ તો કોઇને ગંધ પણ આવશે નહી તેવી ધમકીઓ આપી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
જે અંગે અનિલ બહેચરભાઇ ઇટાલીયાએ જિલ્લા ભુસ્તરશાસ્ત્રી હિંમતનગરને તા.23/12/2022ના રોજ જાણ કરવામાં આવી હતી. ભુસ્તર વિભાગ દ્વારા અનિલ ઇટાલીયાને ફાળવવામાં આવેલ બ્લોકની તપાસણી કરતા આશરે 25,39,4,447 મેટ્રિક ટન સાદી રેતી જેની 1 ટનની કિંમત રૂપિયા 240 લેખે કુલ રૂપિયા 60,94,713 અને સરકારના ઉધોગ અને ખાણ વિભાગના ઠરાવ 29|11|202018 મુજબ પર્યાવરણ નુકસાનીના વળતર પેટે સાદી રેતી ખનીજ કિંમત રૂ.24,98,832 મળી કુલ રૂપિયા 85,93,545ની ચોરી કરી હોવાનું માલુમ પડતા પ્રાંતિજ પોલીસ મથકમાં બ્લોક માલિક અનિલ બહેચરભાઇ ઇટાલીયાએ (રહે.553, ગઢપુર ટાઉનશિપ ખડસદ પાટીયા, કઠોદરા રોડ સુરત તા.જિ સુરત, હાલ રહે. અંબિકાનગર સોસાયટી, શેઠ.પી.એન્ડ આર હાઇસ્કુલ સામે પ્રાંતિજ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠાડ) દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અશ્વિનસિંહ ઉર્ફે ગબ્બરસિંહ ભગવતસિંહ રાઠોડ, યશપાલસિંહ નવલસિંહ રાઠોડ, ધમેન્દ્રસિંહ ચંપકસિંહ રાઠોડ, હિતેન્દ્રસિંહ ગોપાલસિંહ રાઠોડ, જસવંતસિંહ બળવંતસિંહ રાઠોડ, (તમામ રહે. જૂના સંઘપુર), દેવુસિંહ ભીખુસિંહ રાઠોડ (રહે.નવા સંઘપુર) સહિત એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: