શહેરના નારોલ વિસ્તારમાં રહેતા નવલભાઇ શાહ એ નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમનો ફ્લેટ આકૃતિ ટાઉનશીપ વિભાગ 2 માં તેમનું મકાન આવેલ છે. જે મકાન છેલ્લા બે અઢી મહીનાથી રીંકુકુમારી અજય ભારદ્વાજને ભાડે આપ્યું હતું. જ્યાં તેઓ તેના પતિ અને બે બાળકો સાથે રહેતા હતાં. આજે સવારે દસેક વાગ્યાની આસપાસ ચેરમેનનો તેમના પર ફોન આવ્યો હતો. અને જાણ કરી હતી કે તેમના મકાનમાં મર્ડર થયેલ છે. જેથી તેઓ તાત્કાલિક આકૃતિ ટાઉનશીપ પર પહોચ્યા હતાં. અને મકાનમાં જઇને જોયુ તો રીંકુકુમારી બેડ પલંગ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતાં. તેમના ગળાના ભાગે અને હડચીના ભાગે ઇજાના નિશાન હતાં.
આ પણ વાંચો: બાંગ્લાદેશના ખેલાડીઓ સ્માર્ટ બની રહ્યા હતા, ગુસ્સે ભરાયેલા કે.એલ રાહુલે ‘ક્લાસ’ લઈ સીધા કર્યા
જેમને જાણ થઇ હતી કે રીંકુકુમારીનો પતિ કોઇ અગમ્ય કારણોસર ગળે ટુંપો દઇ અથવા ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દઇ ફરાર થઇ ગયેલ છે. જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે આરોપી એ ક્યા કારણોસર આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે તે તેની પૂછપરછ બાદ જ સામે આવી શકે છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત