Tuesday, December 27, 2022

A 700 year old miraculous temple of Mahakali Mataji is situated on the banks of Banas river nrb – News18 Gujarati

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં અનેક અતિપ્રાચીન અને પૌરાણિક મંદિરો આવેલા છે.જેમાં સૌથી વધુ અંગ્રેજોના શાસન દરમિયાન શિવજીના મંદિરો આવેલા છે. બનાસ નદીના પટ પાસે આવેલ નાની આખોલ ગામ પાસે મહાકાળી માતાજીનું પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિર વર્ષો પહેલા જ્યારે રજવાડી રાજ કરતા હતા, તે દરમિયાન આ મંદિરના સ્થળ પર મહાકાળી માતાજીની નાની દેરી હતી અને ત્યાં દરબાર સમાજ સહી અને સમાજના લોકો પૂજા અર્ચના કરતા હતા.

આ મંદિરમાં ભક્તોની સંખ્યા વધતી ગઈ અને છેલ્લા 40 વર્ષથી માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે,ત્યારથી મોટી સંખ્યામાં ભક્તો પોતાની બાધાઓ પૂર્ણ થતા તે પૂરી કરવા આવતા હોય છે. ખાસ કરીને રવિવારે મોટી સંખ્યામાં લોકો ડીસા તેમજ આસપાસના ગામોમાંથી ચાલતા મહાકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે આવે છે.

મંદિર 700 વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની આખોલ ગામ બનાસ નદીના પટને અડીને આવેલું છે. લોકવાયકા મુજબ મંદિર 700 વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. કહેવા છે કે, જ્યારે અહીં રાજા રજવાડાનું રાજ હતું,ત્યારે ગામ ખાતે મહાકાળી માતાજીનું એક નાની દેરી હતી. રાજા રજવાડા દરમિયાન મહાકાળી માતાએ અનેક પરચા આપ્યા હતા.

મહાકાળી માતાની 40 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરાઈ

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

આ મંદિરે દરબાર સમાજ તથા અન્ય સમાજના લોકો પૂજા, અર્ચના કરવા લાગ્યા.આ મહાકાળી માતાજીની સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાઈ અને અનેક ચમત્કાર થવાના કારણે લોકો પણ દર્શન કરવા આવા લાગ્યા છે.આ મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે.

આજથી 40 વર્ષ અગાઉ દેરીમાંથી મંદિર બનાવી માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી મહાકાળી માતાજીની સવાર, સાંજ પૂજારી દ્વારા આરતી અને પૂજા, અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રીમાં ગરબા મહોત્સવ તેમજ કાળી ચૌદસના દિવસે હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે.

આ મંદિરે દૂર દૂરથી રવિવારે લોકો ચાલતા દર્શન કરવા આવે

ખાસ કરીને દર રવિવારે નાની આંખોલ ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન માટે ડીસા તેમજ આસપાસના અન્ય ગામના લોકો ચાલતા આવતા હોય છે. જેથી રવિવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ચમત્કારિક મંદિર હોવાથી માતાજી અનેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. જેથી ભક્તો પોતાની બાધા પૂરી કરવા પણ મંદિરે આવતા હોય છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Banaskanatha, Hindu Temple, Local 18

Related Posts: