આ મંદિરમાં ભક્તોની સંખ્યા વધતી ગઈ અને છેલ્લા 40 વર્ષથી માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે,ત્યારથી મોટી સંખ્યામાં ભક્તો પોતાની બાધાઓ પૂર્ણ થતા તે પૂરી કરવા આવતા હોય છે. ખાસ કરીને રવિવારે મોટી સંખ્યામાં લોકો ડીસા તેમજ આસપાસના ગામોમાંથી ચાલતા મહાકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે આવે છે.
મંદિર 700 વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની આખોલ ગામ બનાસ નદીના પટને અડીને આવેલું છે. લોકવાયકા મુજબ મંદિર 700 વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. કહેવા છે કે, જ્યારે અહીં રાજા રજવાડાનું રાજ હતું,ત્યારે ગામ ખાતે મહાકાળી માતાજીનું એક નાની દેરી હતી. રાજા રજવાડા દરમિયાન મહાકાળી માતાએ અનેક પરચા આપ્યા હતા.
મહાકાળી માતાની 40 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરાઈ
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
આ મંદિરે દરબાર સમાજ તથા અન્ય સમાજના લોકો પૂજા, અર્ચના કરવા લાગ્યા.આ મહાકાળી માતાજીની સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાઈ અને અનેક ચમત્કાર થવાના કારણે લોકો પણ દર્શન કરવા આવા લાગ્યા છે.આ મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે.
આજથી 40 વર્ષ અગાઉ દેરીમાંથી મંદિર બનાવી માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી મહાકાળી માતાજીની સવાર, સાંજ પૂજારી દ્વારા આરતી અને પૂજા, અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રીમાં ગરબા મહોત્સવ તેમજ કાળી ચૌદસના દિવસે હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે.
આ મંદિરે દૂર દૂરથી રવિવારે લોકો ચાલતા દર્શન કરવા આવે
ખાસ કરીને દર રવિવારે નાની આંખોલ ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન માટે ડીસા તેમજ આસપાસના અન્ય ગામના લોકો ચાલતા આવતા હોય છે. જેથી રવિવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ચમત્કારિક મંદિર હોવાથી માતાજી અનેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે. જેથી ભક્તો પોતાની બાધા પૂરી કરવા પણ મંદિરે આવતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Hindu Temple, Local 18