Tuesday, December 27, 2022

વડોદરા જિલ્લામાં 49 હજારથી વધુ ખેડૂતોની e- KYC બાકી, 31 ડિસેમ્બર સુધી e- KYC નહીં કરાવે તેમનો સહાયનો હપ્તો જમા નહીં થાય | More than 49,000 farmers in Vadodara district due for e-KYC, those who do not submit e-KYC till December 31 will not receive their assistance installment

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • More Than 49,000 Farmers In Vadodara District Due For E KYC, Those Who Do Not Submit E KYC Till December 31 Will Not Receive Their Assistance Installment

વડોદરા8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

છેલ્લા એક માસથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેમા વડોદરા જિલ્લામાં કુલ 1 લાખ 95 હજાર 346 એક્ટિવ ખેડૂતો છે. જે પૈકી આજ દિન સુધી કુલ 1 લાખ 45 હજાર 465 લાભાર્થી ખેડૂતો દ્વારા યોજનાનો લાભ લેવા ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 49 હજાર 881 લાભાર્થી ખેડૂતોએ હજુ ઈ-કેવાયસી કરાવ્યું નથી.

ઉલ્લેખીય છે કે, જે ખેડૂતો આગામી 31 ડિસેમ્બર 2022 સુધીમાં e- KYC નહીં કરાવે તેમને આગામી સહાયનો હપ્તો જમા થશે નહીં.

તાલુકા પ્રમાણે બાકી ખેડૂતો
વડોદરા જિલ્લામાં કુલ 49881 લાભાર્થીઓએ E-KYC કરાવ્યુ નથી. જે સમયસર તા. 31.12.2022 સુધીમાં E-KYC ના કરાવે તો આગામી સમયમાં લાભથી વંચીત રહી જશે. જે તાલુકાવાર ઈ-કેવાયસી બાકી છે એમાં વડોદરા ગ્રામ્યમાં 6437, ડભોઈ 7968, કરજણ 8463, પાદરા 8350, વાઘોડિયા 4623, શિનોર 4338, સાવલી 7013 અને ડેસર 2689 છે.

આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિંક કરવા માટે ક્યાં જવું ?
જે બેંકમાં એકાઉન્ટ હોય તે સંબધિત બેંક શાખામાં જઈને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવું જોઈએ. અથવા નિયત કેવાયસી ફોર્મ ભરી બેંક શાખામાં જમા કરાવવું જોઈએ.

E- KYC ખરેખર શું છે?
E-KYC તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક કરવાની એક પ્રક્રિયા છે. જો તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો તમારે બેંકમાં રૂબરૂ જઈને તમારા એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજીયાત છે.

E- KYC કરવા માટે શું જરૂરી છે. ?
E-KYC કરવા માટે તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારૂ આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરેલ ન હોય તો પહેલા તાત્કાલિક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો.

આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવા માટે કયાં જવું ?
તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), સેવા સદન (મામલતદાર કચેરી), ઈ-ગ્રામ સેન્ટર, તથા અમુક સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લિંક પ્રકિયા થઈ શકે છે. હાલ જિલ્લામાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારી પણ આ કામગીરી કરી રહ્યા છે.

E-KYC અપડેટ કરવા માટે ક્યાં જવું ?
E-KYC કરવા માટે પહેલા તો મોબાઈલના જાણકાર ખેડૂત જાતે જ https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx ની વેબસાઈટ પર જઈને E-KYC ઓપશન પર કલીક કરીને અપડેટ કરી શકે છે. જેમાં ખેડૂતો પાસેથી તેમનો આધાર નંબર અને લિંક કરેલ મોબાઈલ નંબર માંગશે તેમાં એક OTP ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP 6 અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર E-KYC IS SUCCESSFULLY SUBMITTED લખેલું આવે એટલે તમારૂ E-KYC અપડેટ થઈ જાય છે. વધુ વિગતો કે મુશ્કેલી માટે જે તે ગામના ગ્રામસેવક. CSC કેન્દ્રના પ્રતિનિધિ, ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: