Monday, December 26, 2022

A unique story of service in the Pramukh Swami Maharaj Shatabdi Mahotsav an officer in the Indian Army

અમદાવાદ: અમદાવાદના આંગણે પ્રખુમસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં હજારો સ્વંય સેવકો પોતાની સેવાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે આ સ્વંય સેવકોમાં આર્મી ઓફિસર પણ સેવામાં જોડાયા છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા ઓફિસર શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યાં છે. આર્મી ઓફિસર અને તેમની દીકરીની પ્રમુખસ્વામી નગરમાં સેવા આપવાની અનોખી કહાની સામે આવી છે.

શહેરના ઓગણજ વિસ્તારમાં 600 એકરમાં પથરાયેલા પ્રમુખસ્વામી નગરમાં અંદાજે 80 હજારથી વધુ સ્વયં સેવકો સેવા આપી રહ્યાં છે. દેશ અને દુનિયાના ખુણે ખુણેથી લોકો અહી સેવા આપી રહ્યાં છે. આ સેવા કરનારાઓમાં ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદી પણ સેવા આપી રહ્યાં છે. તેઓ અને તેમની પુત્રી અહી સેવા આપી રહ્યાં છે. પિતા અને પુત્રીનો સેવાનો અનોખો મહિમા અહી જોવા મળ્યો છે.

શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદીએ સેવા માટે આર્મીમાંથી મળતી રજાઓ ન ભોગવી અને જે રજાઓ જમા થઈ તેનો ઉપયોગ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા કર્યો છે. તેઓ અહી 35 દિવસની સેવા આપી રહ્યાં છે. તેઓ 33 વર્ષથી સેનામાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે હું ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છુ. અત્યારે મારી પોસ્ટિંગ શિલોંગ મેઘાલયમાં છે. બાપાની સેવા માટે હુ 10 ડિસેમ્બરથી સેવા આપી રહ્યોં છું. અહીં પીઆર ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ ગેસ્ટમાં સેવા આપી રહ્યોં છું. હુ ભારતીય સેનામાં સેના વાયુ રક્ષા આર્મી યા ડિફેન્સમાં સેવા આપી રહ્યોં છુ. હુ અને મારી પત્ની અને દીકરી અહી સેવા આપવા આવ્યા છીએ.

આ પણ વાંચો: સુરતના આ વરરાજાની લગ્ન કંકોત્રીમાં જોઇ તમે પણ કહેશો- વાહ ક્યા બાત હૈ

તેમણે વધુમાં જણાવ્યું કે, હુ મુળ અમદાવાદનો વતની છું અને વડોદરામાં રહુ છુ. મારી પત્ની હાઉસવાઈફ છે પરંતુ તેઓ અત્યારે અહી રસોડામાં સેવા આપી રહ્યા છે. મારી દીકરી પાયલટ છે. તે પણ અહીં ડેકોરેશનમાં સેવા આપી રહી છે. કોરોના દરમિયાન તેની પાયલટ ટ્રેનિંગ કમ્પલીટ થઈ હતી. અત્યારે શતાબ્દીમાં સેવા આપ્યા બાદ જોબ શરુ કરવાનું તેણે નક્કી કર્યું છે. તે પણ 3 નવેમ્બરથી અહી સેવામાં છે.

મહત્વનું છે કે શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા મોટા મોટા ડોક્ટરથી માંડીને સીએ, વકીલો અને ઉદ્યોગપતિઓ સેવા કરી રહ્યાં છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં 35 દિવસ સેવા આપવા આવેલા લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદી  દેશના અલગ  અલગ રાજ્યોમાં ફરજ બજાવતા હોવા છતાં પોતાના નિયમ ધર્મનું પાલન ચુસ્ત કરે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Baps pramukh swamis maharaj, Pramukh Swami Maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav, અમદાવાદ, ગુજરાત

Related Posts: