Friday, December 23, 2022

અકવાડા લેઇકમાં મૃત્યુ પામનાર બાળકીને ન્યાય આપવા આમ આદમી પાર્ટી મેદાનમાં | Aam Aadmi Party in Maidan to seek justice for girl who died in Akwada Lake

ભાવનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બુધવાર સુધીમાં મૃતકના પરિવારને ન્યાય નહીં મળે તો ધરણા

અકવાડા લેઇકમાં કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓને બેદરકારીને કારણે એક બાળકીનો ભોગ લેવાયો હોવા છતાં જવાબદાર સામે પગલાં નહીં લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા આજે કમિશનરને રજૂઆત કરી બુધવાર સુધીમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા પર બેસવા અને ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપી હતી.

વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ આમ આદમી પાર્ટી પુનઃ લોકોની સમસ્યા અને પડતર પ્રશ્ન મેદાનમાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલિત અકવાડા લેઇકમાં તંત્ર અને એજન્સીની ગંભીર બેદરકારીને કારણે બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. અને તત્કાલીન સમયે કોર્પોરેશન દ્વારા સામાન્ય માળી કક્ષાના કર્મચારીને સસ્પેન્ડ કરી જવાબદારોને છાવર્યા હતા.

અગાઉ પણ આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવે છે. જોકે તત્કાલીન સમયે તેઓને પગલા લેવાની ખાતરી આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતાં આજે આપના આગેવાનો દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જવાબદાર અધિકારી કર્મચારી વિરોધમાં પોલીસ ફરિયાદ કરી આગામી બુધવાર સુધીમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં ધરણા પર બેસી ન્યાય ન મળે ત્યાં સુધી પ્રદર્શન કરશે તેવી ચિમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: