મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવશે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે તથા રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે.
નાના બાળકોના મનોરંજન માટે બાળનગરી
આ ઉપરાંત સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. તેમજ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે અને વિના મૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે. નાના બાળકો મનોરંજન માણી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં કડકડતી ઠંડી, અમદાવાદમાં પારો 10 ડિગ્રીએ પહોંચ્યો; હાડ થિજવતી ઠંડી પડશે
1500 પોલીસકર્મી તૈનાત
કાર્નિવલમાં 2 ડિસીપી, 5 એસીપી, 21 પીઆઇ, 39 પીએસઆઇ, 800 પોલીસકર્મી, 212 મહિલા પોલીસ સહિત 1500 પોલીસકર્મીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથે જ આ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા ન ઉભી થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા અને ભારે વાહનો પર સવારે 7થી રાત્રે 1 સુધી પ્રતિબંધ રહેશે. કાર્નિવલ દરમિયાન રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, પુષ્પકુંજ સર્કલ, અપ્સરા ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા પાસે વાહન ઉભા રાખી શકાશે નહીં.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર