Saturday, December 17, 2022

પાદરા APMCના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર, પ્રવિણ સિંધા પ્રમુખ પદે યથાવત રહેશે | No-confidence motion against Padra APMC president rejected, Praveen Sindha to remain as president

વડોદરા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પાદરા એપીએમસી - Divya Bhaskar

પાદરા એપીએમસી

વડોદરા જિલ્લાની પાદરા APMCના પ્રમુખ પ્રવિણ સિંધા સામેની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થઈ છે, જેથી હવે પ્રવિણ સિંધા પ્રમુખ પદે યથાવત રહેશે. અવિશ્વાસની દરખાસ્તને પગલે આજે બેઠક મળી હતી. જેમાં 15 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. બેલેટ પેપરથી ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ માટે માત્ર 9 મત મળતા હવે પ્રવિણ સિંધા પ્રમુખ પદે યથાવત રહેશે.

પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઈ હતી
પાદરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 12 ડિરેક્ટરો દ્વારા દિનુ મામાના માનીતા અને એપીએમસીના પ્રમુખ પ્રવિણસિંહ સિંધા વિરુદ્ધ મૂકેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે આજે સવારે 11 કલાકે ચર્ચા-વિચારણા કરી ફરી વખત મતદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, દિનુ મામા અપક્ષની વિધાનસભાની ચૂંટણી હારી ગયા બાદ ભાજપ સાથે જોડાયેલા અને દિનુ મામાના એક વખતના સાથીદારો એવા 12 ડિરેક્ટરો દ્વારા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

મામા ડિરેક્ટરોને મનાવવા માટે ગયા હતા
આ પહેલાં 12 ડિરેક્ટરો અવિશ્વાસની દરખાસ્ત મૂકીને દમણ-મુંબઈ પ્રવાસે ઊપડી ગયા હતા. દિનુ મામા પણ તેમની પાછળ-પાછળ તેમને મનાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ ડિરેક્ટરો ટસના મસ થયા ન હતા. જેથી દિનુ મામાનો ફોગટ ફેરો પડ્યો હતો. 12 ડિરેક્ટરો દ્વારા પોતાના અને ભાજપ સાથે સંકળાયેલા સભ્યને પ્રમુખ બનાવે તેવી ચર્ચા થઈ રહી હતી.

મામા અપક્ષ લડતા ટેકેદારોએ તેમનો સાથ છોડ્યો
ઉલ્લેખનિય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા દિનુ મામાને ટિકિટ ન અપાતાં તેમણે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેઓની હાર થતાં તેમની સાથે જોડાયેલા ભાજપના ટેકેદારો હવે ધીરે ધીરે તેમનાથી છેડો ફાડી રહ્યા છે. તેવામાં હવે સહકાર તેમજ રાજકીય ક્ષેત્રે દિનુ મામાને અન્ય પડકારોનો સામનો કરવો પડી શકે છે તેવી પણ ચર્ચા ઊઠી છે.

પ્રવિણ સિંધા પ્રમુખ પદે યથાવત રહેશે
વડોદરા જિલ્લાની પાદરા APMCના પ્રમુખ પ્રવિણ સિંધા સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈને આજે બોર્ડની બેઠક મળી હતી. જેમાં 15 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. બેલેટ પેપરથી ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ માટે માત્ર 9 મત મળ્યા હતા. જેથી હવે પ્રવિણ સિંધા પ્રમુખ પદે યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: