Mustufa Lakdawala, Rajkot: રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. એવામાં રાજકોટમાર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યાં હોવાથી મોરબી, સુરેન્દ્રનગર સહિત અને ગામોના ખેડૂતો પોતાના પાકને વેંચવામાટે રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી રહ્યાં છે.હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોનીમોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.
તમને જણાવી દયે કે માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે રાતના 8 વાગ્યા સુધી જ મગફળીની આવકનેઆવવા દેવામાં આવશે.જ્યારે શિંગદાણા, શીંગફાડા, ગોગડી, બીબડી અને કપચીની આવક કાલે બપોરના 12 વાગ્યા સુધીઆવવા દેવામાં આવશે. જે બાદ બંધ કરી દેવામાં આવશે.
આ સાથે જ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. તેમજ બાકીતમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ રહેશે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાંછે. માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવામાટે આવી રહ્યાં છે.