ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ નજીક 27 વર્ષે યુવતી યોગ ક્લાસ ચલાવે છે.નમ્રતા રાણાએ કોમ્પ્યુટર એન્જિનિરિંગનો અભ્યાસ કર્યો છે. લોકોને યોગની તાલીમ આપી રહી છે.
આ યુવતી યોગ કેવી રીતના કરવામાં આવે તે અંગે માહિતી આપે છે. તેમજ કયા કયા યોગથી ફાયદા થાય છે તે અંગે વિગતવાર યોગાસન શીખવા આવતા તાલીમાર્થીને માહિતગાર કરે છે.
40 થી વધુ લોકોને તાલીમ આપે છે
યોગા ટીચર નમ્રતા રાણા જૈમીત મહેતા યોગા સ્ટુડિઓમાં છેલ્લા બે વર્ષથી તાલીમ આપે છે. નાનપણથી યોગા શીખીને તાલુકા અને જિલ્લા લેવલની યોગાસન સ્પર્ધામાં ઝળકી હતી.
આ યોગને જ નમ્રતા રાણા વ્યવસાય બનાવ્યો છે.યોગ સ્ટુડિઓમાં પાંચ બેંચ પર આવતા 40થી વધુ લોકોને ટ્રેનિંગ આપે છે અને યોગાસન શીખવાડે છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
જુદા જુદા આસનો શારીરિક તંદુરસ્તી માટે ઉપયોગી
તાલીમાર્થીઓને તાલીમ આપતી યુવતીએ ખાસ પ્રાણાયમ યોગના ફાયદા કહેતા જણાવ્યું હતું કે,પ્રાણાયામ ફેફસાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા સાથે શ્વાસ નળીને સ્વચ્છ રાખવા સાથે શરીરને તંદુરસ્ત બનાવે છે.
અન્ય આસનો જેવા કે શીર્ષાસન મગજ સુધી રક્ત પહોંચાડી મગજને ફાયદો કરાવે છે.જ્યારે ચક્રાસન કરવાથી કરોડરજ્જુને ફાયદો થાય છે .ભરૂચ શહેરમાં યોગાસનથી થતા ફાયદાઓને લઈ લોકો પણ યોગ તરફ વળ્યા છે અને સમયાનુસાર યોગાસન કરી જવાન હિટ અને ફિટ રહેવા પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર