Saturday, December 24, 2022

Pramukh Swami Maharaj made an unprecedented contribution to the society and the nation – News18 Gujarati

Parth Patel, Ahmedabad: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સમરસતા દિનના ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેર જીવનના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત-અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા

સમત્વમ્ યોગ ઉચ્યતે ગીતાની આ ઉક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિમાં આજે દર્શાવવામાં આવ્યું કે દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત-અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા. બધામાં ભગવાન જોવાની ર્દષ્ટિ પ્રમુખસ્વામી મહારાજની સમરસતાનું મુખ્ય કારણ હતું. તેમની આ ર્દષ્ટિ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રમુખ પરિબળ બની રહી.

ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોતાના જીવનમાં શ્રીમદ્ ભગવદગીતા કથિત સમત્વ યોગ જેમણે સિદ્ધ કરી લીધો હતો એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ ભક્તિસંગીત દ્વારા વિશિષ્ટ અંજલિ આપવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજના સમતાથી યુક્ત જીવનકાર્યને આદર્શજીવન સ્વામીએ પ્રમુખ ચરિતમ્ પ્રવચનમાળા હેઠળ સમરસતાના શિખર પ્રમુખસ્વામી મહારાજ વિષયક વિશિષ્ટ પ્રવચન દ્વારા ઉજાગર કર્યું હતું.

પછાતોના પ્રેમછત્ર પ્રમુખસ્વામી મહારાજ વિષયક વિડિયો પ્રસ્તુતિ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની સમત્વની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું દર્શન કરાવવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેકવિધ મહાનુભાવોએ સમત્વના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજને વાક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલ કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો :

સ્વાગત પ્રવચનના ઉપકુલપતિ હિમાંશુ પંડ્યા એ જણાવ્યું કે BAPS જેવી સંસ્થા સાથે જ્યારે આપણે સમાનતા આણવાના પ્રયાસમાં સહભાગી થઈશું ત્યારે આપણે ખરા અર્થમાં વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ ધપી શકીશું.

દલિત સમુદાયમાં વિચરણ કરીને સમાનતા માટે અને દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું

દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ મિલિન્દ કાંબલે એ જણાવ્યું કે ડૉ. આંબેડકરે સમાનતા માટે પ્રયત્નો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે પણ દલિત સમુદાયમાં વિચરણ કરીને સમાનતા માટે અને દલિતોના ઉદ્ધાર માટે કાર્ય કર્યું. સમાજના વંચિતોના સામાજિક અને આર્થિક ઉદ્ધાર માટે BAPS જેવી સંસ્થા પાસે માર્ગદર્શનની આશા છે. સર્વસમાવેશક સમાજની રચના એ આપણું લક્ષ્ય છે.

ગુરુ ઘાસીદાસ વિશ્વ વિદ્યાલય, બિલાસપુરના ઉપ કુલપતિ આલોક કુમાર ચક્રવાલે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ એક એવી સંસ્થા છે. જે સામાજિક સંવાદિતા લાવી શકે. કારણકે અહીં નાતજાતના કોઈ ભેદ વગર સર્વ પ્રત્યે સદભાવથી વર્તન કરવામાં આવે છે.

BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામી એ જણાવ્યું કે સનાતન હિન્દુ ધર્મનો સાર એ છે કે પ્રત્યેક વ્યક્તિ જ્ઞાન, મુક્તિ અને આનંદનો અધિકારી છે. આ જ પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર જીવનનો સંદેશ છે.ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ સંજીવ ડાંગી એ જણાવ્યું કે જ્યારે પણ સમાનતાના ભાવનો લોપ થયો છે ત્યારે સમાજે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સમાનતાના સંદેશને સમાજમાં વધુમાં વધુ પ્રસારિત કરવો જોઈએ.

સમાજની સર્વતોમુખ પ્રગતિ થાય એ સંતોના જીવનનું લક્ષ્ય છે

રાજ્યસભાના પૂર્વ સભ્ય તરુણ વિજયે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સંસ્થા સાચા અર્થમાં સમાનતા પ્રસ્થાપિત કરી શકશે.દલિત, આદિવાસી એન્ડ ટ્રાન્સલેશન સ્ટડીઝના પ્રમુખ આર. એસ. સરજુ એ જણાવ્યું કે સમાજની સર્વતોમુખ પ્રગતિ થાય એ સંતોના જીવનનું લક્ષ્ય છે.

યુનિવર્સિટી ઓફ મેરી વોશિંગટનના પ્રોફેસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું કે સામાજિક સમાનતા લાવવા માટે આંતરિક દુર્ગુણો જેવાં કે અહંકાર, ભેદભાવ વગેરેને નિર્મૂળ કરવા પડશે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સર્વેમાં આત્મગૌરવ સિંચવાનું કાર્ય કર્યું.

પટના યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગુરૂપ્રકાશ પાસવાને જણાવ્યું કે આ સમગ્ર નગર એક અદભૂત આધ્યાત્મિક શક્તિનું સ્થાન છે. એકદમ સાહજિક રીતે આ સમગ્ર નગર સર્જન પામ્યું છે.લેખક રમેશ ચંદેરે જણાવ્યું કે હું ધાર્મિક વ્યક્તિ નથી. હું ભગવાનમાં માનું છું. પણ જ્યારથી અહીં આવ્યો ત્યારથી મને ખરેખર પ્રતીતિ થઈ ગઈ છે કે ધર્મ અને સંતોનો સમાજ ઉત્થાનમાં ખૂબ મોટો ફાળો છે. લોકસભાના પૂર્વ સભ્ય બીઝાય સોનકર શાસ્ત્રી એ જણાવ્યું કે મેં અહીં જોયું કે હજારો સ્વયંસેવકો કોઈ અહંકાર વગર સેવા કરી રહ્યા છે અને અન્ય વ્યક્તિમાં પરમાત્મા રહ્યા છે તેવી ભાવના સાથે સેવા કરી રહ્યા છે.

BAPS ના  શ્રુતિપ્રકાશ સ્વામી એ જણાવ્યું કે અહીં નગરમાં જે યજ્ઞો થઈ રહ્યા છે તેમાં ચારેય વર્ણના લોકો ભાગ લઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે સર્વને આત્મર્દષ્ટિ ર્દઢ કરાવી અને સર્વેને બ્રહ્મવિદ્યાના અધિકારી ગણ્યા.BAPS ના મંગલનિધિ સ્વામી એ જણાવ્યું કે સર્વને દિવ્ય ગણવાની ર્દષ્ટિ વર્ચસ્વ સ્થાપવાની હોડમાંથી ઉગારી લે છે. ખરા સામર્થ્યનો ઉદભવ આધ્યાત્મિક જ્ઞાનમાંથી આવે છે. નહીં કે ભૌતિક સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાંથી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Related Posts: