- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Blankets Were Distributed To The Needy By Parshva Bhakti Group Charkop On The Occasion Of Parshwanath Janam Kalyanak Near Shankeshwar.
પાટણ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

શંખેશ્વર સમીપે પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે પાર્શ્વ ભક્તિ ગૃપ ચારકોપ-મુંબઇ દ્વારા વિજય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની 48મી દીક્ષાતિથિ નિમિત્તે તથા મુનિરાજ નયશેખર વિજયજી મ.સા (કચ્છ-કોડાયવાળા)ની પ્રેરણાથી કર્મ વિરંગના જીજ્ઞાબેન શેઠના હસ્તે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
વગેરે પરિવારે લાભ લીધો
આ ધાબળાના લાભાર્થી પરિવાર એક સદ્ગ્રહસ્થ પરિવાર, જીરાવલ્લા વહુઆરી સ્નાત્ર મંડળ, સ્વ.જયવંતીબેન વસંતલાલ છેડા, પ્રભાબેન ઝવેરચંદ વીરા, કાવ્ય દિપક વીરા, પાર્શ્વ-દેવમ્ કૌશિક હરિયા, તેજસ દિલીપ શાહ, નીલેશ દેરાજ નાગડા, પર્વ નિરજ શાહ, વિપુલ કાંતિલાલ છેડા, પ્રીતીબેન શૈલેષ દેઢિયા, ગૌતમ જયંતિલાલ સાવલા, નેપુલ લક્ષ્મીચંદ બૌઆ, જયેશ ભવાનજી પાસડ, સ્વ. સુરેશ સુંદરજી ગાલા, કસ્તુરબેન વેલજી નંદુ, હિતેન સુંદરજી ગાલા, દિનેશ જાદવજી બૌઆ, કિર્તી મકવાણા વગેરે દાતા પરિવારે ગરીબોને ધાબળા વિતરણનો લાભ લીધો હતો.
લાભાર્થી પરિવારોની અનુમોદના કરી
આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમરત્ન પરિવારે દરેક લાભાર્થી પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરી તેઓના આ સેવાકીય કાર્યોને બિરદાવ્યું હતું અને આવનારા સમયમાં પાર્શ્વ ભક્તિ ગૃપ ચારકોપ-મુંબઇ દ્વારા અનેકવિધ સેવાકીઓ કાર્યો થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.