રાજકોટઃ રીબડા ગામમાં સ્નેહમિલન કાર્યક્રમ બાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોંડલ અને રીબડા જૂથ ફરી એકવાર સામસામે આવી ગયા હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે, ગોંડલ જૂથના સમર્થકને ઢોરમાર મારવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
આડકતરી રીતે પ્રહાર કરતા વાત વણસી
રીબડામાં સ્નેહમિલન બાદ જૂથ અથડામણની ઘટના બની હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો રીબડા ચોકડી પાસે એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રહાર કરતા વિવાદ સર્જાયો હોવાની આશંકા
ઉલ્લેખનીય છે કે, આ સ્નેહમિલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આડકતરી રીતે અનિરુદ્ધસિંહ પર પ્રહાર કર્યા હતા અને તેને કારણે વિવાદ સર્જાયો હતો તેવું જાણવા મળી રહ્યુ છે. આ ઘટનાને પગલે એસપી જયપાલસિંહ રાઠોડ પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગયા છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Clashes, Rajkot News, જૂથ અથડામણ