Friday, December 30, 2022

હીરાબાના નિધન પર માયાભાઈ આહીરે સંવેદના વ્યક્ત કરી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શતાયું હીરાબાનું આજે એટલે શુક્રવારનાં (30 ડિસેમ્બર, 2022) રોજ વહેલી સવારે 3.30 કલાકે દુ:ખદ નિધન થયું હતું. આ સમાચાર સાંભળતાની સાથે પીએમ મોદી દિલ્હીથી ગુજરાત આવવા રવાના થયા હતા. હીરાબાના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ગાંધીનગરમાં પીએમ મોદીનાં ભાઇનાં ઘરે લઇ જવામાં આવ્યો હતો. પીએમ મોદી ગાંધીનગર આવ્યા બાદ માતા હીરાબાની અંતિમયાત્રામાં જોડાયા હતાં.

ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત ચાર ભાઇઓએ માતાનાં પાર્થિવ દેહને અગ્નિ આપી હતી.

Published by:Pravin Makwana

First published:

Tags: Mayank raval, Mother heera Baa