Sunday, December 25, 2022

લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદ: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના આજથી રંગારંગ પ્રારંભ થઈ ગયો છે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર યોજાનાર કાર્નિવલમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. કાર્નિવલની મુલાકાત લેનાર તમામ પ્રવાસીઓને કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. તમામ લોકોને ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ મળશે.

ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલને ખુલ્લો મુકાવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકાવામાં આવ્યો છે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા માટે આવશે. આ સાથે જ કોરોના ગાઈડલાઈનનું ખાસ પાલન કરાશે. લોકોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરાવામાં આવી છે.આ પણ વાંચો: ‘દીકરી જગત જનની લગ્નઉત્સવ’ બન્યો કન્યાદાન, અંગદાન અને વિદ્યાદાનનો ત્રિવેણી સંગમ

મોટા મોટા કલાકારો અહીં પરફોર્મ કરશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ પણ અહી પરફોર્મ કરશે તથા રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે.

આ પણ વાંચો: એમ.એસ યુનિવર્સિટીમાં નમાઝ બાબતે ફરી વિવાદ સામે આવ્યો

નાના બાળકોના મનોરંજન માટે બાળનગરી

આ ઉપરાંત સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. તેમજ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે અને વિના મૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે. નાના બાળકો મનોરંજન માણી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Published by:Vimal Prajapati

First published:

Tags: Kankaria, Kankaria carnival, Kankariya carnival


Related Posts: