Wednesday, December 14, 2022

નારણપુરા પોલીસ મથકમાં લાંચિયા પોલીસકર્મી, છેલ્લા બે મહિનામાં બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા

નારણપુરામાં પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રબારી એક લાખની લાંચ લેતા ઝડપાયા બાદ એ.એસ.આઇ અનિલકુમાર 50 હજારની લાંચ લેતા ઝડપાયા.

નારણપુરા પોલીસ મથકમાં લાંચિયા પોલીસકર્મી, છેલ્લા બે મહિનામાં બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા

લાંચિયા પોલીસકર્મી ઝડપાયા

અમદાવાદનું નારણપુરા પોલીસ મથક જાણેકે ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેમ છેલ્લા બે મહિનામાં બે પોલીસકર્મી લાંચ લેતા એસીબીએ પકડી પાડયા છે. ગત 14 ઓક્ટોબરના રોજ નારણપુરાના પોલીસ કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતા એસીબીએ પકડી પાડયો હતો. પોલીસ કોન્સ્ટેબલ રિક્ષામાં રહેલી દારૂની બે પેટીનો કેસ નહિ કરવા લાંચ માંગી હતી. કોન્સ્ટેબલ 2,25,000 રકમ નક્કી કરી હતી. જેમાંથી 1 લાખ રૂપિયા લીધા હતા અને આ 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આજ પોલીસ મથકના વધુ એક પોલીસકર્મી પણ 50 હજારની લાંચ લેતા એસીબીએ હાથે ઝડપાઇ ગયા છે.

નારણપુરા વિસ્તારમાં બે વ્યકિત વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બંને પક્ષે નારણપુરા પોલીસ સ્ટેશનમાં સામ સામી ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી એક ફરિયાદ 1 નવેમ્બરે અને બીજી ફરિયાદ 13 તારીખે કરવામાં આવી હતી. જેમાં સામેના પક્ષના પોલીસ મથકમાં હાજર થઈ ગયા થઇ ગયા હતા અને જામીન લઈ લીધા હતા. જ્યારે એક ફરિયાદમાં આરોપી પકડવામાં બાકી હતા જેથી એએસઆઈ અનીલકુમારે આરોપીને ફોન કરી હજાર થઈ જવા જણાવ્યું હતું,

જે મામલે આરોપી હજાર થઈ ગયા બાદ એએસઆઇ અનિલકુમાર તેને માર નહિ મારવા, લોકઅપમાં નહિ રાખવા અને કોર્ટમાં બારોબાર રજૂ થઈ જવાના 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને આ સમગ્ર વાત એએસઆઈ એ આરોપીને ફોન દ્વારા પણ જાણ કરી હતી. આરોપીએ સમગ્ર મામલે એસિબીમાં જાણ કરતા લાંચિયા પોલીસકર્મીને એસિબી ની ટીમે પકડી લીધો હતો. પોલીસ સ્ટેશનની બહાર સામેના ભાગે ફૂટપાથ પર લાંચની રકમ સ્વીકારતા હતા તે દરમ્યાન એસીબી ની ટીમે એએસઆઈ ને 50 હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા.

Related Posts: