Saturday, December 24, 2022

હત્યા મામલે ચોકાવનારી વિગતો સામે આવી

ભરત પેટેલ, સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે . જોગીન્દર યાદવ નામના વ્યક્તિની હત્યા થઈ જતા પીપરીયા વિસ્તારમાં સનસની  ફેલાઈ ગઈ હતી, જોકે સેલવાસ પોલીસે ગણતરીના સમયમાં જોગીનદરના હત્યારાઓને ઝડપી પાડ્યા છે. ત્રણ આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે, પરંતુ જોગીન્દર યાદવની હત્યા શા માટે કરાઈ હતી? તે કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ છે. કોણ છે જોગીનદરના હત્યારા? જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જોગીન્દર યાદવ નામના વ્યક્તિની હત્યા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્તારમાં ગત અઠવાડિયે જોગીન્દર યાદવ નામના વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. જોગીન્દરની હત્યાના મામલે સેલવાસ પોલીસે તપાસ શરૂ કરી હતી. સેલવાસ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે જોગિન્દર યાદવ, ઉમેશ યાદવ અને તેના એક મિત્ર વેદ પ્રકાશ તિવારી પર વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ત્રણ કર્મચારીઓ તૂટી પડ્યા હતા. અચાનક જ મારામારીની આ ઘટનામાં ઉમેશ યાદવ અને વેદ પ્રકાશ તિવારીને વધુ માર નથી પડ્યો પરંતુ જોગિન્દર યાદવને ત્રણ ઈસમો દ્વારા ઢોર માર મારતા તેનું મોત થયું હતું.આ પણ વાંચો: 31st ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એલર્ટ, પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

યોગીન્દરની હત્યાના આરોપીઓની કરાઈ ધરપકડ

જોગીન્દરની હત્યાના મામલે સેલવાસ પોલીસે દિલીપસિંહ, ધીરેન્દ્ર કુમાર સિંહ અને વિવેક ઉપાધ્યાય નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જોગિન્દરની હત્યા અંગે ચોકાવનારી વિગતો બહાર આવી છે .જોગીન્દર યાદવનો પિતરાઈ ભાઈ ઉમેશ યાદવ અને તેની પત્ની પૂનમ યાદવ સેલવાસના પીપરીયા વિસ્તારમાં આવેલ લીલા હાઈટ્સમાં આવેલ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની દુકાનમાં કામ કરતા હતા. પરંતુ આયુર્વેદિક દવા વેચતી આ કંપની સાથે ઉમેશ યાદવ અને તેની પત્ની પુનમ યાદવને કોઈ કારણસર કંપની છોડી દીધી અને વી પ્લસ નામની કંપનીમાં દવાનું માર્કેટિંગ કરી રહ્યા હતા. થોડા સમય પહેલા નરોલી વિસ્તારમાં વી પ્લસ કંપનીનું દવાનું માર્કેટિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ વેલનેસ પ્રાઇવેટ કંપનીના જુના કર્મચારીઓ સાથે તેમને બબાલ થઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાલચી કોન્સ્ટેબલની કરી ધરપકડ

આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

જો કે ત્યારે આ મામલો થાળે પડી ગયો હતો. પરંતુ બે દિવસ બાદ ઉમેશ યાદવ આ મામલાને લઈને જૂની કંપનીના સાથીદારો સાથે સમાધાન કરવા ગયો હતો .જોકે તે દિવસે ઉમેશ યાદવ તેના પિતરાઈ ભાઈ જોગીન્દર અને વેદ પ્રકાશને પણ સાથે લઈ ગયો હતો. આ સમાધાન દરમિયાન જ અચાનક જ મામલો ગરમાયો હતો અને આરોપી દિલીપસિંહ , ધીરેન્દ્ર કુમાર સિંહ અને વિવેક ઉપાધ્યાયે જોગીન્દરના પેટના ભાગે લાતો મારતા તેનું આ ઘટનામાં કરુંન મોત થયું હતું. ગુસ્સા અને આવેશમાં આવીને આ ત્રણેય ઈસમોએ જોગીન્દરને એટલો માર માર્યો કે જોગીન્દરનું મોત થઈ ગયું હતું. આથી પોલીસ પકડમાં આવી જતા આ ત્રણેય આરોપીઓને લાંબા સમય સુધી જેલની હવા ખાવાનો વારો આવશે.

Published by:Vimal Prajapati

First published:

Tags: Crime news, Murder case, ગુજરાત