જામનગર20 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર બ્રાંચ ઑફ WIRC ઑફ ICAIના અધ્યક્ષ સીએ દીપા ગોસ્વામીના નેજા હેઠળ સી. એ.ની શાખા દ્વારા ડાઇરેક્ટ ટેક્સના વિષયો પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગ્રણીઓએ વિષયો પર માહિતી આપી
આ સેમિનારમાં રાજકોટથી ખાસ પધારેલા સીનિયર સીએ દીપક નિંદાણિએ પ્રિપેરેશન, રીપ્રેઝેન્ટેશન એન્ડ લો રિલેટિંગ ટુ અપીરિયન્સ બીફોર ડાઇરેક્ટ ટેક્સ અપિલેટ ઓથોરિટીના વિષય પર તથા જામનગરના સીએ દુષ્યંત મહર્સીએ બેનામી ટ્રાન્ઝેક્શન અલોંગ વિથ સ્ટે ટુ ડિમાંડ એન્ડ પેનલ્ટી પ્રોસીડિંગ અને સીએ, દિપક વારિયા એ રિસેટ રિલેવંટ જ્યુડિશિયલ ડિસિઝન ઇન ડાઇરેક્ટ ટેક્સના વિષયો પર માહિતી આપી હતી.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં
આ સમગ્ર કાર્યક્રમમાં ચેરપર્સન સીએ. દીપા ગોસ્વામી, વાઇસ ચેરપર્સન સીએ પ્રતિક ચાંદ્રા તથા જામનગર વિકાસા ચેરપર્સન સીએ. હરદીપસિંહ જાડેજા અને મેનેજિંગ કિમીટીના સભ્ય સીએ જયદીપ રાયમંગિયા તથા સીએ તથા સીએના વિદ્યાર્થીઓ સેમિનારમાં હાજર રહ્યા હતા.