Mustufa Lakdawala,Rajkot : ભારતીય રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-ગુવાહાટી ટ્રેનદોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા વિન્ટર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જેથીમુસાફરોને કોઈ અગવડતા ન પડે. તમને જણાવી દયે કે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને ગુવાહાટી વચ્ચે વિશેષ ભાડા પર વિન્ટર સ્પેશિયલટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનોનીવિગતો નીચે મુજબ છે:
– ટ્રેન નંબર 05637/05638 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલની કુલ ચાર ટ્રીપ યોજવામાં આવી છે. જેથી કરીને મુસાફરોને કોઈઅગવડતા ન રહે… – ટ્રેન નંબર 05637 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ રાજકોટથી શનિવારે 13.15 કલાકે ઉપડશે અને સોમવારે 20.30 કલાકેગુવાહાટી પહોંચશે. આ ટ્રેન 31 ડિસેમ્બર,2022 અને 7 જાન્યુઆરી, 2023ના રોજ દોડશે.
– તેવી જ રીતે ટ્રેન નંબર 05638 ગુવાહાટી–રાજકોટ સ્પેશિયલ ગુવાહાટીથી બુધવારે 09.00 કલાકે ઉપડશે અને શુક્રવારે19.10 કલાકે રાજકોટ પહોંચશે.
– આ ટ્રેન 28 ડિસેમ્બર 2022 અને 4 જાન્યુઆરી 2023ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, બીના, સતના, મિર્ઝાપુર, પં.દીન દયાલ ઉપાધ્યાય, હાજીપુર, બરૌની, કટિહાર, ન્યુજલપાઈગુડી, ન્યુ કૂચ બિહાર અને ન્યુ બોંગાઈગાંવ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપરક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
– ટ્રેન નંબર 05637નું બુકિંગ 22મી ડિસેમ્બર 2022થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. વધુ માહિતીમાટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.