Friday, December 9, 2022

રાજકોટમાં ડ્રગ પેડલરના પુત્ર પર હુમલામાં બે લોકો સામે ફરિયાદ, મહિલાનો એસિડ ગટગટાવી આપઘાત | Complaint against two people in attack on drug peddler's son in Rajkot, woman commits suicide by swallowing acid

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના રૈયાધાર સ્‍લમ કવાર્ટરમાં રહેતી ડ્રગ પેડલર સુધા ધામેલીયાના પુત્ર મયુર ધામેલીયા (ઉ.વ.20)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નામચીન સમીર ઉર્ફે સમલો બ્‍લોચ અને તેની સાથે એક અજાણી યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. મયુરે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે મોટાભાઇ અને ભાભી સાથે રહે છે. પોતાની માતા સુધા ધામેલીયા એન. ડી.પી.એસ.ના ગુનામાં અને પિતા જૂના વોરંટમાં હાલ જેલમાં છે. પોતે રીક્ષા ચલાવે છે. પોતે અપરણીતા છે પરંતુ પોતે લગ્ન કર્યા વગર નજમા નામની યુવતીને પોતાની સાથે રાખતો તેના થકી સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી છે. હાલમાં બન્‍ને તેના પિતા સાથે રહે છે. ચારેક વર્ષ પહેલા સમીર ઉર્ફે સમલો કાસમભાઇ બ્‍લોચ સાથે મિત્રતા હતી પરંતુ આ સમીર બાંધકામનો ધંધો કરતો હોઇ જેથી આ બાબતે પોતાને તેની સાથે છેલ્લા છ માસથી કોઇ સંબંધ નથી ગઇકાલે પોતે ઘરપાસે આશાપુરા ચોકમાં એકલો બેઠો હતો. ત્‍યારે સમીર ઉર્ફે સમલો એક યુવતી સાથે એકટીવા લઇને આવ્‍યા અને પોતાની પાસે આવી સમીરે કહેલ કે ‘‘પોલીસને તુ મારી બાતમી કેમ આપે છે” તેમ કહીને ગાળો આપી ઝઘડો કરી છરી વડે હુમલો કરી પોતાના માથામાં આંખ ઉપર તથા માથાના ભાગે ઇજા કરી હતી જો કે આસપાસના લોકો એકઠા થતા બંને તયાંથી ભાગી ગયા હતા આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે મયુરની ફરિયાદ પરથી સમીર ઉર્ફે સમલો તેની સાથે અજાણી યુવતી સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

એસિડ પી મહિલાએ કર્યો આપઘાત.

રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પર આવેલ કરણપાર્કમાં રહેતાં નેહાબેન કિશનભાઈ બગથરીયા (ઉ.વ.31) ગઇકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી આપઘાતનો કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. નેહાબેનને સંતાનમાં બે પુત્રી છે, અને તેના માવતર મોરબી રહે છે. ગઇકાલે કોઈ કારણોસર એસિડ પી લીધા બાદ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઈ વનીતાબેન દોડી ગયાં હતાં અને જરૂરી કાર્યવાહી કરી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.બનાવથી બે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ગળેફાંસો ખાઇ મહિલાએ કર્યો આપઘાત.

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક શેરીમાં રહેતાં કિંજલબેન જયદીપભાઈ માણાવદરિયા (ઉ.વ.38) ગઇકાલે ઘરે હતાં ત્યારે અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં આક્રંદ મચાવ્યો હતો અને બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના PSI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે પરિવારની પૂછપરછ આદરી હતી.

પ્રિન્સિપાલના ઘરમાં કલરકામ કરવા આવેલા શખ્સે કરી ચોરી

રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ પર શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા અને પાઠક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મેહુલભાઇ પ્રફુલભાઇ વૈષ્ણવ (ઉ.વ.53)ના મકાનમાં કલર કામે આવતા કિશન યાદવ નામના શખ્સે મકાનની ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાંથી દાગીના અને રોકડ સહિત રૂ.1.40 લાખની ચોરી કરી લઈ જતા તેની સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: