અમદાવાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
- શહેરકોટડા સ્ટેશનમાં ગેટ પડતાં મોત થયું હતું
કાલુપુર બ્રિજ પાસે નવા બની રહેલા શહેરકોટડા પોલીસ સ્ટેશનનો દરવાજો પડી જવાથી સાત વર્ષીય ફરહાનનું શુક્રવારે મોત થયું હતું. જ્યારે અસહદ નામના બાળકને ગંભીર ઈજાઓ થવા પામી હતી.આથી આ મામલે મૃતક બાળકના પરિવારજનોએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરતા શહેરકોટડા પોલીસે આ દુર્ઘટનામાં જવાબદાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધમાં કલમ 304-એ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.કાલુપુર બ્રિજ પાસે નવું શહેરકોટડા પોલીસ સ્ટેશન બની રહ્યંુ છે, જેમાં પોલીસ સ્ટેશનના મેઇન દરવાજાનુ કામ ચાલી રહ્યું હતું.
શુક્રવારે રામલાલની ચાલીમાં રહેતો 7 વર્ષીય ફરાહન ઘાંચી તેના 9 વર્ષના મિત્ર અશદ શેખ સાથે આ જગ્યાએથી પસાર થતો હતો, તે સમયે પોલીસ સ્ટેશનનો મેઇન લોખંડનો દરવાજો બંને બાળકો પર પડ્યો હતો, જેમાં ફરહાનનું મોત થયું હતું જ્યારે અસહદને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ મૃતકોના પરિવારજનોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. બાદમાં મૃતકના પિતા તાહીરહુસેન ઘાંચીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જવાબદાર કોન્ટ્રાકટરોની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.