Thursday, December 22, 2022

યુવાનોમાં આધ્યાત્મિકતામાં લાવવામાં નહી આવે તો આખી જનરેશન ખત્મ થઇ જશે: ડો. રાધાક્રિષ્નન પિલ્લાઇ | Dr Radhakrishnan Pillai Said If the youth is not brought into spirituality, the entire generation will perish

અમદાવાદએક કલાક પહેલાલેખક: મનોજ કે. કારીઆ

મેનેજમેન્ટ ગૂરૂ ડો. રાધાક્રિષ્નન પિલ્લાઇએ જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ ગુરુ તરીકે મને લાગે છે ભારત દેશમાં જે તત્વ છે, તે આધ્યાત્મિક શક્તિ છે. આપણે દેખાડવી જોઇએ. તે દેખાડવાથી લોકોને પણ ફાયદો થશે અને દેશની સંસ્કુતિ પણ બચશે. BAPS જે કામ કરી રહ્યું છે તેમાં આગળ વધવું જોઇએ. તેની પાછળનું કારણ હું તમને જણાવું કે, ભારતમાં જે યુવાનોની સંખ્યા છે તેમને આધ્યાત્મમાં લાવવામાં નહીં આવે તો પુરું જનરેશન ખત્મ થઇ જશે. હું એમ નથી કહે તો કે તમે બહારગામ ના જાવ પણ જતી વખતે સાથે ભારતનું આધ્યાત્મ લેતાં જાવ અને BAPS કરી રહ્યું છે. BAPSના મંદિર દેશ ઉપરાંત વિદેશમાં જેમ કે લંડન, યુ.એસ.માં પણ મે જોયાં છે. અક્ષરધામ તે ભારતીય સંસ્કુતિના દર્શન કરાવે છે. BAPSમાં જે લોકો જોડાયેલાં નથી. તેઓ એક વખત આવે. કહેવાય છે કે, ભગવાન તરફ એક પગલું માંડો, ભગવાન દસ ડગલાં તમારી તરફ માંડશે. દુનિયાભરના લોકો અહીંયા આવી રહ્યાં છે. પણ આપણે તે તરફ જઇ રહ્યાં નથી. પણ BAPS જઇ રહી છે.

ચાણક્યનું મુખ્ય કામ હતું લોકોને સાથે જોડવાનું
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં દરરોજ જુદા જુદા વિષયો પર કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. આજે અમદાવાદ રિયલ્ટર્સ એસોસીએશન દ્વારા યોજાયેલી નેશનલ એસોસીએશન ઓફ રિયલ્ટર્સ, ભારત (એનએ.આર.) કોન્ફરન્સમાં મેનેજમેન્ટ ગુરૂ તથા મુંબઇ યુનિવર્સીટીના ડાયરેકટર ડો. રાધાક્રિષ્નન પિલ્લાઇ પ્રવચન આપવા આવ્યા હતા. તેમની સાથે દિવ્ય ભાસ્કરે કરેલી ખાસ મુલાકાતમાં પ્રશ્નોના ઉત્તરમાં તેમણે કહ્યું કે, ચાણક્ય નીતિમાં બહુ ઉચ્ચકક્ષાની વાત કરવામાં આવી છે. સૌથી પહેલાં ચાણક્ય નીતિ એવું કહે છે કે, આપણો દેશ સૌથી શ્રીમંત અને સંપન્ન હોવો જોઇએ. ગરીબ ના હોવો જોઇએ. બીજું માનસિક રીતે શાંતિ હોવી જોઇએ અને આધ્યાત્મિક કક્ષાએ પ્રગતિ કરવી જોઇએ. ચાણક્યનું મુખ્ય કામ હતું લોકોને સાથે જોડવાનું. તે જ રીતે BAPS પણ મંદિર બનાવે છે અને લોકોને સાથે લાવે છે. આ કાર્ય દરેક ગુરુ, સંત, શિક્ષકે કરવું જોઇએ અને તે કરે છે.

આપણે કુંભમેળામાં જતા નથી કે જાણતાં પણ નથી
ભારતીય લોકોમાં નાનો પ્રશ્ન એ છે કે જે સારું કરે છે તેને બતાવતાં નથી. પણ એ આપણે અમેરિકા પાસેથી શીખવાનું છે. નાનું કરો, સારું કરો અને વધુ માર્કેટિંગ કરો. નાની નાની પ્રોડક્ટ ઘણી આવે છે. તેનું માર્કેટિંગ કરીને સારા પૈસા કમાય છે. તો આપણે કેમ ના કરીએ. તેનું ઉદાહરણ પુરું પાડતાં તેમણે કહ્યું કે, આપણે ત્યાં કુંભમેળો ભરાય છે. દુનિયાભરના લોકો આવે છે. પણ આપણે તેનું માર્કેટિંગ કરતા નથી. હમણાં તમે જોયું હશે કે ફીંફા વર્લ્ડ કપ યોજાયો હતો. 8 મિલિયન લોકો એટલે કે 800 કરોડ લોકોએ ફાઇનલ જોઇ. આપણે કુંભમેળામાં જતા નથી કે જાણતાં પણ નથી.

ઉદ્યોગ સાહસિકતાની જેમ વિચારો અને ધંધો શરૂ કરો
તેમણે યુવાનોને સંદેશ આપતાં કહ્યું કે, ઉદ્યોગ સાહસિકતાની જેમ વિચારો અને તમે તમારો ધંધો શરૂ કરો. યુવક હોય કે યુવતી કોઇ જ ફરક પડતો નથી. આપણે લોકો ભણી-ગણીને પહેલાં સરકારમાં નોકરી કરતાં હતા. અત્યારે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યાં છીએ. દેશ માટે કાંઇ કરો, બહુ પૈસા કમાશો. બહુ જરૂરી છે કે, તમે નોકરી પાછળ ના જાવ. ધંધો કરો અને રોજગારીનું સર્જન કરો. પહેલાં નોકરી મળતી હતી. આજે મળતી નથી. એટલે લોકો શું કરે છે કે હું એમ.બી.એ. કરીશ એટલે નોકરી મળશે. પણ તેની કોઇ ગેરંટી નથી. તમને નાની-મોટી નોકરી મળશે ત્યારે એવું લાગશે કે આટલું ભણ્યાં પછી પણ શું કરી રહ્યો છું. તેનાથી સારું એ છે કે આપણે વેપાર સાથે જોડાઇને નાનો-મોટો વેપાર કરીએ તેમાં પણ ઘણું કમાશો. રીઅલ એસ્ટેટ ડીલર્સ છે, એજન્ટ છે, એક-એક વ્યક્તિ કરોડોમાં કમાણી કરે છે. 10-20 હજારમાં નોકરી કરીએ છીએ. જુઓ તમે નોકરી કરો છો તે ખરાબ નથી પણ રોજગારીનું સર્જન કરો તેની વધારે જરૂરિયાત છે. પૈસા કમાવો માત્ર આપણાં માટે નહીં બધાં માટે કમાવ. દરેક માટે ખાવાનું બનાવે તે કદી ભૂખ્યો નહીં રહે. દરેક વ્યક્તિ સમુધ્ધ, સ્વસ્થ અને આધ્યાત્મિક બને છે.

નાનો ધંધો મોટો નથી થઇ રહ્યો એટલે ખત્મ થઇ રહ્યો છે
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, નાનો ધંધો મોટો નથી થઇ રહ્યો એટલે ખત્મ થઇ રહ્યો છે. તેના માટે બે ચીજ જરૂર છે. એમ.એસ.એમ.ઇ. ( મીડીઅમ એન્ડ સ્મોલ સ્કેલ બિઝનેસ). તેમના નાના નાના પ્રશ્નો હોય છે. તે બતાવી શકતા નથી. ટેક્ષની વાત હોય કે બેંકની લોન નથી મળતી. તો એ લોકો વિચારે છે. ધંધો છોડો ને તેના કરતાં હું ચુપચાપ નોકરી કરી લઇશ. તેમાં દેશને બહુ મોટું નુકસાન થાય છે. જેથી સરકારે શું કરવું જોઇએ. એમ.એસ.એમ.ઇ. સેકટરને પ્રોત્સાહન આપવાની સાથે મોટું ફંડ આપવું જોઇએ. યુવાન મહેનત કરવા તૈયાર છે.

નાના વેપારીઓને ફાયનાન્સીયલી મોરલ સપોર્ટ કરે
તેમણે એક કિસ્સો વર્ણવતાં કહ્યું કે, કોરોના મહામારીમાં મે ઘણાં લોકો એવા જોયાં છે કે, જેમણે 50, 100 જણાંને નોકરી આપી હોય. પૈસા દીધાં હોય અને પોતાનું ઘર વેચી માર્યું હોય. તેની ભૂલ નથી પણ ધંધો બંધ કરી દેશે. દુઃખ થાય છે જે વ્યક્તિએ 50 જણાંને રોજગારી આપી પણ કોઇ પૂછતું નથી. તો સરકારને મારી વિનંતી છે કે, નાના નાના વેપારીઓને ફાયનાન્સીયલી મોરલ સપોર્ટ કરે. મોટા ઉદ્યોગકારો કે જેમની પાસે એકસ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે. પણ તમે નાના વેપારીઓને સહયોગ આપો. પ્રોબ્લેમ શું છે કે અહીંયાના મોટા ઉદ્યોગકારો વિદેશમાં જાય છે અને વિદેશના ઉદ્યોગકારો ભારતમાં આવે છે. પણ નાના વેપારીઓની જાણે કોઇ ગણતરી જ નથી. પણ ભારતમાં 65 ટકા ધંધો મધ્યમ અને લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાં છે.

ધંધો કરો તો તમારું દિલ પણ મોટું હોવું જોઇએ
ડો. પિલ્લાઇએ વધુમાં જણાવ્યું કે, ભારતીયો સ્વાર્થી નથી. તમે 100 રૂપિયા કમાવ છો. તો 50 રૂપિયા ઘરમાં આપો છો. ધંધો કરો તો તમારું દિલ પણ મોટું હોવું જોઇએ. તમે તમારા માટે અને બીજા માટે કમાવ. સરકારની સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિતની અનેક પોલીસી છે. કોઇપણ ધંધો કરો પણ ગુજરાતમાં કહેવત છે તેમ ત્રણ વર્ષ કમીટમેન્ટ કરો, તેને છોડો નહીં. સુવર્ણ કાળ આવી જશે.

મોટી મોટી કંપનીના સી.ઇ.ઓ. તરીકે ભારતીય છે
દેશ છોડીને વિદેશ જતાં યુવાનો પાછળના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેની પાછળ બે કારણો હોવાનું જણાવીને ઉમેર્યું કે, એજ્યુકેશન હાય છે. ઘણું રિસર્ચ કરે છે. અહીંયા એકઝામ આપો, ડિગ્રી લો અને નોકરી કરો. ત્યાં નોકરીમાં પણ સારો પગાર મળે છે. બીજી જરૂરી વાત એ છે કે ત્યાં રિસ્પેક્ટ છે. ભારતીય ભણીને ત્યાં જાય છે તો ત્યાં બહુ રિસ્પેક્ટ મળે છે. ત્યાં મોટી મોટી કંપનીના સી.ઇ.ઓ. તરીકે ભારતીય છે. અહીંયા રિસ્પેક્ટ મળતો નથી. ઘરે પણ રિસ્પેક્ટ નહીં મળતું હોય કે આ શું કરી રહ્યો છે. મને લાગે છે કે યુવાનોને આકર્ષિત કરવા માટે ઉચ્ચશિક્ષણ આપવું પડશે. માત્ર ડિગ્રીઓ નહીં. શિક્ષકો પણ સમાજપ્રત્યે એક કટિબધ્ધતાં હોય છે. રિસર્ચ કરો. બાળકને સ્કૂલ, કોલેજ કે એન્જીનીયરીંગમાં જ ફંડીગ મળી જાય તો તે પોતાની કંપની શરૂ કરે છે. યુવાનો ઉર્જાસભર છે. પણ તેમને યોગ્ય દિશાસૂચનની જરૂર છે. જે કમનસીબે મળતું નથી. હું એમ નથી કહેતો કે યુવાનોને વિદેશ જતાં રોકો. દુનિયાને આપણી જરૂરિયાત છે તો કેમ ના જઇએ. પણ વિદેશ જતાં યુવાનોને મારે બે વાત કહેવી છે કે, તેમની સાથે વ્યવાસાયિક લાયકાત અને આધ્યાત્મિક વલણ લેતાં જાય .

દેશને ના ભૂલો અને દેશની સંસ્કુતિને ના ભૂલો
તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર ભણતર જ લઇને નહીં તમારામાં જે આધ્યાત્મ છે, સાધના છે તે કરીને જવું જોઇએ. તમે કયાંય પણ જાવ તે નસીબની વાત છે. અહીંયા હોવ તો સારી વાત છે. બહાર હોય તો પણ વાંધો નથી. તમે વ્યવાસાયિક રીતે સફળ થવા જોઇએ અને તમારું આધ્યાત્મિક તાદાત્મય હોવું જોઇએ. ગુરુ હંમેશા કહે છે કે જયાં પણ હોવ તો દેશને ના ભૂલો અને દેશની સંસ્કુતિને ના ભૂલો.

હું ઘણો આશાસ્પદ છું, કેમ કે હું એક શિક્ષક છું
ડો. રાધાક્રિષ્નન પિલ્લાઇએ છેલ્લાં પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હું ઘણો આશાસ્પદ છું. કેમ કે, હું એક શિક્ષક છું. શિક્ષણનું ભારતીયકરણ થવું જોઇએ તેવી શિક્ષણ પ્રથા લાવવી જોઇએ. ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ-2020 આવી રહી છે, બધુ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: