ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ. વિભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપનું જીવન ઋતુચક્રમાં વહેંચાયેલું છે
ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. પ્રાચીન સમયમાં ભારતીય ઋષિમુનીઓ પાસે આયુર્વેદનું વિશાળ જ્ઞાન હતું અને તેમના દ્વારા ભારતના ઋતુચક્ર પ્રમાણે આપણી ખોરાક પદ્ધતિ નક્કી કરવામાં આવી હતી. આપનું જીવન ઋતુચક્રમાં વહેંચાયેલું છે. જેમાં આપણો ભારત દેશ મુખ્યત્વે ત્રણ ઋતુચક્રમાં વહેચાયેલો છે. જેમાં આપણા શરીરની શિયાળા, ઉનાળો અને ચોમાસું એમ ઋતુચક્ર પ્રમાણેની તકેદારી લેવાની હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન શાકભાજીનું ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં હોય છે. શિયાળા દરમિયાન આપણે શરીરમાં વિટામીન અને પ્રોટીન જેમાં મળી શકે તેવા લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

બહોળા પ્રમાણમાં વિદ્યાર્થિનીઓેએ આ પ્રદર્શન નિહાળ્યું
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવે છે. તેના ભાગરૂપે વિવિધ વાનગીઓને લીલા શાકભાજી વડે સુશોભન કરી ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થિનીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

