પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા
પંચમહાલ જિલ્લાના આઈ.એમ.એ આયુષ અને ડેન્ટલ ડોક્ટરનું સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 200થી વધારે ડોક્ટરો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રના હિત માટે ડોક્ટરો કેવા પ્રકારની કામગીરી કરે છે તે માટે દરેક ડોક્ટરના મત લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલમાં ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ ડોક્ટરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું.

મતદાન થાય એ માટે દરેક ડોક્ટરો કામે લાગી ગયા હતા.
આ કાર્યક્રમમાં તમામ ડોક્ટરોએ દ્રઢ નિર્ધાર કર્યો હતો કે, રાષ્ટ્રના નિર્માણ માટે અથાગ પ્રયાસ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે તમામ ડોક્ટરો કામે લાગી જવાનું નક્કી કર્યું હતુ. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની સાથે પોતાના દવાખાના હોસ્પિટલમાં પણ ભાજપ તરફી મતદાન થાય એ માટે દરેક ડોક્ટરો કામે લાગી ગયા હતા.

