Friday, December 23, 2022

પંચમહાલના સાત ગામોમાં ગ્રે વોટર મેનેજમેન્ટ યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું | Gray water management units were established in seven villages of Panchmahal

પંચમહાલ (ગોધરા)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ 2 અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ ગોધરાના સહયોગથી પ્રવાહી કચરા વ્યવસ્થાપન-ગ્રે વોટર મેનેજમેન્ટ યુનિટ (વેડંચા મોડલ પ્રોજેક્ટ) અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હાલોલ ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર અને કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના હસ્તે બે તાલુકાના કુલ સાત ગામોમાં ગ્રે વોટર મેનેજમેન્ટ યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.આર.પટેલ સહિત ગ્રામ લોકોની હાજરીમાં જિલ્લાના સાત ગામોમાં આ પ્રોજેકટ અંતર્ગત ખાતમુહૂર્ત સહિત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ તમામ યુનિટ આવતા છ એક મહિનામાં તૈયાર થશે.

બે તાલુકાના કુલ સાત ગામોનો સમાવેશ

  • હાલોલ તાલુકાનું કંજરી ગામ જે 9612ની વસ્તી ધરાવે છે, જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 1145 છે. જ્યાં 250 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.
  • હાલોલ તાલુકાનું બાસ્કા ગામ જે 4188ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 226 છે. જ્યાં 189 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.
  • હાલોલ તાલુકાનું કોટામૈડા ગામ જે 1200ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 200 છે. જ્યાં 162 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.
  • કાલોલ તાલુકાનું સમા ગામ જે 2746ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 490 છે. જ્યાં 200 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.
  • કાલોલ તાલુકાનું બોરૂ ગામ જે 2408ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 382 છે. જ્યાં 200 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.
  • કાલોલ તાલુકાનું ડેરોલ ગામ જે 4774ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 520 છે. જ્યાં 260 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.
  • કાલોલ તાલુકાનું કાતોલ ગામ જે 1942ની વસ્તી ધરાવે છે. જ્યાં ગટર લાઇન ધરાવતા કુટુંબોની સંખ્યા 546 છે. જ્યાં 200 KLD ધરાવતો પ્લાન્ટ આકાર પામશે.

શું છે ગ્રે વોટર મેનેજમેન્ટ?
ગામમાં ગટરમાંથી નીકળતું ગંદુ પાણી આઉટલેટ મારફતે છૂટું તથા તળાવ, કોતર, નદીમાં આ પાણી છોડવામાં આવે છે. જેથી તે સ્થળે ગંદકી, કાદવ-કીચડ અને મચ્છર ઉત્પન્ન થાય છે. જેનાથી બીમારીઓ થવાની સંભાવના રહેલી છે. તેવા સ્થળે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ થકી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી આ પાણીને ઈરીગેશનમાં અથવા રિચાર્જમાં ઉપયોગમાં લેવાય છે. તથા ખાતર પણ ઉતપન્ન કરી વેચાણ પણ કરી શકાય છે.

મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
આજના આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.આર.પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ, કારોબારી સભ્યો, તાલુકા વિકાસ અધિકારી હાલોલ અને કાલોલ, સરપંચઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: