Sunday, December 25, 2022

ગુજરાતના જ વકીલો નહીં સમગ્ર દેશના વકીલો માટે બહુ મોટો સંદેશ અને સંસ્કાર આપે છે: મનનકુમાર મિશ્રા | A great message and rite for the lawyers of the whole country, not just the lawyers of Gujarat: Manankumar Mishra

  • Gujarati News
  • Pramukh swami
  • A Great Message And Rite For The Lawyers Of The Whole Country, Not Just The Lawyers Of Gujarat: Manankumar Mishra

અમદાવાદએક કલાક પહેલાલેખક: મનોજ કે. કારીઆ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે નિર્માણ પામેલાં પ્રમુખસ્વામી નગરમાં આજે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા થિંક બિયોન્ડ રિસ્પોન્સિબિલિટી વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં પધારેલાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આજની આ જે કોન્ફરન્સ છે તે માત્ર ગુજરાતના વકીલો માટે નહીં બલ્કે પુરા દેશના વકીલો એક બહુ મોટો સંદેશ અને સંસ્કાર આપે છે. બાકી એથિક્સ, ક્રિમીનલ લો, એવિડન્સ એક્ટ પર ચર્ચાઓ થઇ હતી. મને લાગે છે કે, આજનો આ કાર્યક્રમ આખાય દેશમાં પ્રસારિત થતો હતો તે સમગ્ર દેશના વકીલોને સારો સંદેશો આપે છે.

‘હું મારી જાતને પણ ગૌરવ અનુભવી રહ્યો છું’
ખાસ કરીને સ્વામીજીએ જે વાતો કરી ખરેખર સમગ્ર દેશના વકીલો માટે ખાસ કરીને આજે જે સેમિનારમાં હાજર હતા તે વકીલો માટે ખૂબ જ્ઞાનવર્ધક હતું. સારા સંસ્કારની વાત તેમણે કરી બિયોન્ડ રિસ્પોન્સિબિલિટીની જે તેમણે ચર્ચા કરી તે માત્ર વકીલો માટે નહીં પરંતુ સમગ્ર માનવજીવનને કેવી રીતે જીવવું જોઇએ, પરિવાર પ્રત્યે પ્રેમ રાખીને, લાલચ સહિતના દુર્ગુણોથી દૂર રહેવાનું છે. આવા કાર્યક્રમમાં ભાગ લેવાથી હું મારી જાતને પણ ગૌરવ અનુભવી રહ્યો છું. આજનો કાર્યક્રમ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આયોજન કરવામાં આવ્યું. તેનાથી હું ખરેખર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો આભારી છું.

‘હું આવો જ કાર્યક્રમનું વહેલી તકે દિલ્હીમાં આયોજન કરીશ’ તેમણે વધુમાં કહ્યું હતું કે, મેં હમણાં સ્વામીજી જોડે પુરા દેશના વકીલો માટે દિલ્હી અક્ષરધામમાં કાર્યક્રમ યોજવાની ચર્ચા કરી છે. હું આવો જ કાર્યક્રમનું વહેલી તકે દિલ્હીમાં આયોજન કરીશ. સ્વામીજી પણ રસ ધરાવે છે. આવા વિદ્વાન સંતોનું જ્ઞાન વકીલોને મળે તેનાથી સારી વાત કોઇ હોઇ ના શકે. સ્વામીજી પાસેથી સમય લઇશું. પણ ફ્રેબ્રુઆરીમાં જે પણ સમય આપે અમે આયોજન કરવા તૈયાર છીએ. ફ્રેબુઆરી ઉચિત સમય છે.

‘વકીલ દબાયેલા-કચડાયેલાં વર્ગનો અવાજ હોય છે’
તેમણે વધુમાં કહ્યું કે, વકીલ સમાજને પાર્લામેન્ટે હક્ક અને અધિકાર (રાઇટ્સ) આપેલા છે. અને વિશેષ અધિકાર (પ્રિવિલેજ) આપેલાં છે. આ બંનેના કારણે જ આપણી ડેમોક્રેસી પણ મજબૂત છે. પ્રજા તંત્રની જે સીસ્ટમ આપણી છે. તે ઘણી મજબૂત છે. વકીલ સમાજનો અવાજ છે. વકીલ દબાયેલા-કચડાયેલાં વર્ગનો અવાજ હોય છે. વકીલોને જે સ્વતંત્રતા સ્પીચ અને એક્સપ્રેસનની આપી છે. તેનો પુરો લાભ સમાજને મળે છે. તેમને આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરપયોગ ના થાય તેના માટે સ્ટેટ બાર કાઉન્સિલ તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાંક નિયમો બનાવ્યાં છે. વકીલોને અનુશાસનને આધિન રહેવાનું પણ જોવાનું છે. મને લાગે છે કે, આવા કાર્યક્રમોથી વકીલોની શિસ્ત, પ્રોફેશનલ એથિક્સમાં ઘણો લાભ થાય છે.

‘વકીલ સમાજ માટે નહીં બલ્કે સમગ્ર માનવજાત માટે છે’
સેમિનાર સંપન્ન થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું અને પ્રોફેશનલ એથિક્સ પર ઘણી વાતો કરી હતી. જયારે એડીશનલ સોલીસીટર જનરલ એસ.વી. રાજુએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પણ સૌથી મોટી વાત જો સ્વામીજી મહારાજે કરી તે માત્ર વકીલ સમાજ માટે નહીં પણ માનવ સમાજ માટે તે એક શીખ છે. હું તો ઘણો પ્રભાવિત થયો છે. સ્વામીજીને માનવજીવનને વકીલ વ્યવસાય સાથે જોડી દીધો હતો. એક મનુષ્યનું જીવન કેવું હોવું જોઇએ. અને એક વકીલનું પરિવાર, દેશ, અસીલ પરત્વે શું કર્તવ્ય હોવું જોઇએ. ભગવાનની આરાધના કરવાથી પ્રોફેશનમાં પણ લાભ મળે છે. આ બધું સાંભળીને મને લાગે છે કે આજનો દિવસ, કોન્ફરન્સ બહુ લાભદાયી અને ફાયદાકારક રહી છે. નગર જોયું નથી. માનવ સેવા શું હોય છે. અમારા સમાજમાં જે જોગી, સ્વામીજી, મહાત્માઓ છે. જે સમાજની કેવી રીતે સેવા કરી રહ્યાં છે. દરેકે શીખવું જોઇએ. માનવ કર્તવ્ય કરવું જોઇએ. આ શીખવા જેવું છે.

‘આપણું વિચારવાનું બંધ થઇ જાય પછીનો વિચાર આ નગરી છે’
ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન જે. જે. પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા સમગ્ર ગુજરાતમાંથી લીગલ કોન્ફરન્સમાં આવ્યા છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા લીગલ કોન્ફરન્સ કરવામાં આવી અને તે મંચ પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગુજરાતના વકીલોને વ્યાખ્યાન પણ આપ્યું. પહેલી વખત ગુજરાતના વકીલોએ એ અનુભવ કર્યો કે કેવળ વકીલાત કરવી, કમાવવું પણ અહીંયા વકીલોનું બીજું કર્તવ્ય પણ છે. આ કર્તવ્ય સંદર્ભે પણ અહીંયા જ્ઞાન પિરસવામાં આવ્યું અને હું શ્રધ્ધા સાથે કહી શકું કે સમગ્ર ગુજરાતનો વકીલ આ કોન્ફરન્સને અલગ રૂપે જોશે. ઘણી કોન્ફરન્સો થઇ હશે પણ અહીંયા ધર્મ અને કાયદો બંનેનો સમન્વય જોવા મળ્યો. અદ્દભૂત નગરી છે. કદાચ આપણું વિચારવાનું બંધ થઇ જાય. આપણું વિચારવાનું બંધ થઇ જાય પછીનો વિચાર આ નગરી છે અને પ્રમુખસ્વામી મહારાજના ચરણોની અંદર સમગ્ર વકીલોએ વંદન કરી તેમની આ પવિત્ર ધરતી પર સમગ્ર નગરના દર્શન કર્યા અને સમગ્ર ગુજરાતનો વકીલ ધન્યતા અનુભવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાંથી 2500 વકીલોનું રજીસ્ટ્રેશન થયું હતું. દરેક બાર એસોસિએશનમાંથી 5 વકીલોના પ્રતિનિધિઓને અહીંયા બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ અહીંયા હતું. અને એ જયાંથી પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. તે નેતુત્વ કરવાવાળા વકીલો હતા. પહેલી વખત ગુજરાતના વકીલોએ કેવલ વકીલાત કરવી. સમાજ અને અસીલ માટે લડવું અને આખુંય જીવન કોઇના માટે પસાર કર્યું. કોઇને ન્યાય અપાવવા માટે પસાર કર્યું. આજે પહેલી વખત ગુજરાતનો વકીલ અનુભવી રહ્યો છે કે, અમે અમારી જાત સાથે કયારે ન્યાય કર્યો તે પ્રશ્નનો જવાબ આજે અમને જ્ઞાનવત્સલજીએ આપ્યો છે. મેં નગરની મુલાકાત પહેલાં પણ લીધી હતી. આજે બીજી વખત જઇશ. નગર અદ્દભૂત છે. મે પહેલાં પણ કહ્યું કે, તમારો વિચારવાનું પુરુ થાય. પછી જે વિચાર આવે તે વિચાર આ નગરી છે.

‘સ્વામીજીએ ધર્મ અને ન્યાય કેવી રીતે સાંકળવો તેનું ખૂબ સારું જ્ઞાન આપ્યું’
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સીએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આજના લીગલ સેમિનાર યોજયો હતો. પ્રમુખસ્વામી નગરની મુલાકાત ગુજરાતમાંથી 3500 વકીલોનો સેમિનારમાં આવ્યા હતા. સ્વામીજીએ પ્રવચન આપ્યું આપણને આશ્ચર્ય થાય કે, લીગલ નોલેજ પર પણ તેમનો આટલું નોલેજ સ્વામીજી તરીકે છે. અને તેમણે ધર્મ અને ન્યાય કેવી રીતે સાંકળવો તેનું ખૂબ સારું જ્ઞાન આપ્યું.

તેમણે વધુમાં કહ્યું કે, આધ્યાત્મિક રીતે જોઇએ તો દરેક વ્યક્તિનું ઉત્થાન જ રહ્યું છે. આવા સેમિનારો જો થતાં રહે તો પ્રજાને પડતી તકલીફો આપોઆપ દૂર થઇ શકે. અહીંયા વ્યસનમુક્તિને લગતી શોર્ટ ફિલ્મ બતાવી હતી. જેમાં વ્યસન મુક્તિથી માંડીને તમે તમારા કામને કેવી રીતે પ્રાધાન્ય આપી શકો તે દરેક વસ્તુ દરેક તબક્કા પર ઉજાગર કરતો આ કાર્યક્રમ છે. એવું કહેવાય છે કે, સ્વામિનારાયણ શિક્ષાપત્રી એવો ગ્રંથ છે કે, તે વાંચો તો સુખી ના થાવ તો કાંઇ વાંધો નહીં પણ જીવનમાં દુઃખી તો નહીં જ થાવ એટલું તો સો ટકા છે.

અન્ય સમાચારો પણ છે…