પાલનપુર14 મિનિટ પહેલાલેખક: નરેશ ચૌહાણ
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- 2007માં કોંગ્રેસને માત્ર એક જ દાંતા બેઠક મળી હતી,2012માં નવા સીમાંકનથી થરાદ અસ્તિત્વમાં આવી
બનાસકાંઠાના રાજકારણ પર ભાજપ કે કોંગ્રેસ પૈકી કોઈ એક પક્ષનો કબજો ક્યારેય રહ્યો નથી. વિધાનસભાની ચૂંટણીઓમાં પાછલા અઢી દાયકામાં કોંગ્રેસનો દબદબો ક્યારેય જોવા મળ્યો નથી. 2007માં આદિવાસી દાંતા વિસ્તાર સિવાય તમામ બેઠકો ભાજપને મળી હતી જે એકમાત્ર અપવાદ પાછલા 25 વર્ષમાં કહી શકાય. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં 9 વિધાનસભા બેઠકોમાં શહેરી વિસ્તારમાં ભાજપ અને ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. સહકારી ક્ષેત્રમાં સારી એવી પકડ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ડેરી અને બેન્કિંગ ક્ષેત્રે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એક મોરચે સાથે દેખાય છે.
પરંતુ ભાજપ પ્રમુખ પદે સીઆર પાટીલના આવ્યા બાદ સહકારી ક્ષેત્રે પણ હવે ભાજપ દ્વારા મેન્ડેડ અપાવવા લાગ્યા છે. પાછલા 25 વર્ષના બનાસકાંઠાના વિધાનસભા ચૂંટણીઓના પરિણામ પર નજર કરવામાં આવે તો 1998માં બનાસકાંઠાની આઠ બેઠકો માંથી 3 બેઠકો પર કોંગ્રેસ હતી. જ્યારે 5 બેઠક ભાજપ પાસે હતી. 2002માં ભાજપની બે સીટ આવી હતી જ્યારે છ સીટ કોંગ્રેસ પાસે હતી, 2007માં સ્થિતિમાં બદલાવ આવ્યો હતો અને માત્ર આદિવાસી વોટબેંક ધરાવતા દાતા સિવાય આખો જિલ્લો કેસરિયા રંગે રંગાયો હતો.
જોકે 2012માં નવા સીમાંકન બાદ સ્થિતિમાં ફરી બદલાવ આવ્યો હતો. વાવથી છૂટી પડીને થરાદ વિધાનસભા નવી બની હતી અને ભાજપની સીટો ઘટીને ફરી ત્રણ થઈ ગઈ હતી. જ્યારે કોંગ્રેસની પાંચ બેઠકો આવી હતી અને 2017માં પણ ભાજપની વધુ એક બેઠક ઘટીને બે થઈ હતી અને સાત બેઠકો કોંગ્રેસની આવી હતી.
બ.કાં.માં સૌથી વધુ 1 લાખ મતો કોંગ્રેસના ગેનીબેને 2017માં મેળવ્યા હતા
જેમ જેમ મતદારોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ મતદાન જાગૃતિના પ્રયાસો પણ સતત વધવા લાગ્યા. એમાંય 2017માં જુદા જુદા આંદોલનોના કારણે મતદારો મતદાન માટે ઘરની બહાર નીકળ્યા હતા. ઠાકોર સેના પાછલી ચૂંટણીમાં સતત એક્ટિવ હતી. જેના લીધે ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ભાજપની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શંકરભાઈ ચૌધરી સામે સીધી ટક્કર હતી જેમાં ગેનીબેનને 1,02,328 મતો મળ્યા હતા.