ગુજરાતમાં ભાજપને મળેલી પ્રચંડ જીતથી ભલે રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હોય. પરંતુ મોરબી ભાજપ આજે પણ એ ગોઝારી દુર્ઘટનાના શોકમાં જોવા મળી રહ્યું છે. ભવ્ય જીત બાદ પણ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ ઉજવણી કરવાથી અંતર જાળવ્યુ છે…આજે તેમને ગોઝારી દુર્ઘટનાના મૃતકો માટે મચ્છુ માંના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે
ગુજરાતમાં ભાજપને મળેલી પ્રચંડ જીતથી ભલે રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હોય. પરંતુ મોરબી ભાજપ આજે પણ એ ગોઝારી દુર્ઘટનાના શોકમાં જોવા મળી રહ્યું છે. ભવ્ય જીત બાદ પણ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ ઉજવણી કરવાથી અંતર જાળવ્યુ છે…આજે તેમને ગોઝારી દુર્ઘટનાના મૃતકો માટે મચ્છુ માંના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે…આ મોક્ષ યજ્ઞમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાથે મૃતકોના પરિવારોએ પણ હાજરી આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં મોરબીમાં ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયાની ભવ્ય જીત થઈ છે. જેમાં કાંતિ અમૃતિયાની જીત બાદ વિજય સભા યોજવામાં આવી હતી. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિજય સભાનું આયોજન કર્યું હતું . જ્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દોઢ મહિના પૂર્વે કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 થી વધુ લોકોના મોત થયા હતા. જેના પગલે સમગ્ર રાજયના તેને લઇને લોકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેમજ આ હોનારતમાં કાંતિ અમૃતિયા સહિત અનેક સ્થાનિક લોકોએ ડૂબેલા લોકોને બચાવ્યા હતા.