અમદાવાદ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
- મેમનગરના નયના ફ્લેટની ઘટના, પુત્રી 12 વર્ષની હતી
- બંને સાથે ધાબેથી નીચે પડ્યાની ઘટના અંગે પોલીસને શંકા
મેમનગરના નયના ફ્લેટમાં રહેતી 40 વર્ષીય મહિલા તેની 12 વર્ષની દીકરી સાથે ધાબા પર પતંગ ચગાવતી હતી. આ દરમિયાન ધાબા પરથી માતા અને દિકરી નીચે પટકાતાં મોત થયું હતું. ઘાટલોડિયા પોલીસને મહિલા અને દિકરી બન્ને કેવી રીતે જમીન પર પટકાયા તે અંગે શંકા હોવાથી વધુ તપાસ હાથધરી છે.
નિર્મલાબેન ઠાકોર તેમની 12 વર્ષની દીકરી સાથે બુધવારે સાંજે ધાબા પર પતંગ ચગાવતા હતા. બન્ને ચોથા માળેથી નીચે પડ્યા હતા. જેથી આસપાસના લોકોને જાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે નિર્મલાબેન અને જીનલને મૃત જાહેર કર્યા હતા. આસપાસના લોકોના નિવેદનમાં એવું સામે આવ્યું હતું કે માતા અને દીકરી બન્ને ધાબા પર પતંગ ચગાવતા હતા અને અચાનક ચોથા માળેથી પટકાયા હતા. જો કે પોલીસને આ મામલે શંકા જતા તેમણે તમામ એંગલથી તપાસ શરૂ કરી છે, સાથે તેમના પતિ કાળુજીની પણ પૂછપરછ હાથધરી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે, નિર્મલાબેને 20 વર્ષ પહેલા કાળુજી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નિર્મલાબેન છેલ્લા 4 વર્ષથી બીમારીની દવા લેતા હતા. બુધવારે અચાનક આ ઘટના બની હતી.