અમદાવાદ3 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
- 15 દિવસ બાદ ફરી આચાર્ય દેવવ્રતનું ગૂજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન
- હોસ્ટેલ રૂમની તપાસ કરવાની જવાબદારી વિભાગના વડાઓને સોંપાઇ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીને સાથે રાખીને વિદ્યાપીઠ કેમ્પસમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું.આ પહેલા રાજ્યપાલની મુલાકાત દરમિયાન જે વિદ્યાર્થીઓના રૂમમાં ગંદકી જોવા મળી હતી તેમની સામે વિદ્યાપીઠે કડક કાર્યવાહી કરતા તેમને સત્ર પૂરું થયા બાદ હોસ્ટેલ છોડવાની સૂચના આપી હતી.
રાજ્યપાલની મુલાકાત બાદ વિદ્યાપીઠ દ્વારા તમામ વિભાગના વડાઓને તેમના વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમની સફાઈ કરે છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી સોંપી હતી. એટલે કે આવનારા સમયમાં વિભાગીય વડાઓ ચોક્કસ દિવસે વિદ્યાર્થીઓના રૂમની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે તેમના પ્રશ્નોની પણ ચર્ચા કરશે.
શુક્રવારે આચાર્ય દેવવ્રત અચાનક વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને કોર્પોરેશનના 30 સફાઈકર્મીને બોલાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું, જેમાં તેઓએ વિદ્યાપીઠના મેદાનોની સ્થિતિ, રમત- ગમતના સાધનોની માહિતી પણ મેળવી હતી. તેમણે વિદ્યાર્થીને શ્રમનું મહત્ત્વ સમજાવ્યું હતું.
યુવાઓની ઊર્જાને સકારાત્મક દિશા આપવી જોઇએ
યુવા વિદ્યાર્થીઓની ઉર્જાને સર્જનાત્મક અને હકારાત્મક બાબતો તરફ વાળવી જોઇએ. વિદ્યાપીઠના રમત- ગમતના મેદાન સુના પડ્યાં છે, મેદાન પરનું ઘાસ જ બતાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. રમત – ગમતના એકપણ સાધનો નથી. ગાંધીજીના વિચારો જ્યાં જીવંત છે તે સંસ્થાને આપણે તેઓના વિચારોને અનુરૂપ બનાવવાની છે. – આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ
બે વિદ્યાર્થીને હોસ્ટેલમાં આવવા પર પ્રતિબંધ
હોસ્ટેલમાં યોગ્ય સફાઈ ન કરી હોવાના મુદ્દે વિદ્યાપીઠે બે વિદ્યાર્થીને હોસ્ટેલમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોના વડાઓને તેમના વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓના રૂમની સફાઈની ચકાસણી માટેની જવાબદારી સોંપવામાં આવી છે. > ડો. રાજેન્દ્ર ખિમાણી, કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ