અમરેલી11 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા નજીક ધારેશ્વર ડેમ નર્સરી ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. સામાજીક વનીકરણ વિભાગ અમરેલીની રેન્જ રાજુલા દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર 23-12-2022થી 27-12-2022 પાંચ દિવસ સુધી યોજાશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને વન વિભાગ દ્વારા પર્યાવરણ તેમજ પ્રકૃતિઓ વિશે માહીતીઓ આપવામાં આવી હતી. દરરોજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાઇ રહ્યા છે અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટે માહીતી આપી સમજાવવામાં આવે છે. ખાસ કરીને વન વિભાગ દ્વારા રાજુલા-જાફરાબાદની શાળાના બાળકો માટે રહેવા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સુંદર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં RFO એસ.એમ. મકરાણી, ફોરેસ્ટર પરેશ કે. વાધેલા, એમ.એમ. ચૌહાણ, જી.આઇ. ધાંધલા સહીત રાજુલા વન વિભાગ સ્ટાફ ઉપસ્થિત રહે છે. વિદ્યાર્થીઓમાં પણ આ શિબિરને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.