Saturday, December 3, 2022

ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના સ્મરણાર્થે કાલે નેત્રયજ્ઞ યોજાશે | Netrayagya will be held tomorrow to commemorate the victims of the hanging bridge disaster

મોરબી25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિનામૂલ્યે નેત્રમણીનું ઓપરેશન કરાશે, લાભ લેવા અપીલ
  • રણછોડદાસબાપુ હોસ્પિટલના ઉપક્રમે થશે આયોજન

મોરબીના જલારામ મંદિર ખાતે 4 ડિસેમ્બરને રવિવારના રોજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના સ્મરણાર્થે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રકારના અત્યાર સુધીમાં ૧૫ કેમ્પ યોજાઇ ગયા છે. જેમાં કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૧૯૯૨ લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.

ગુજરાતની ટોચની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખ હોસ્પીટલ -રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

જે અંતર્ગત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી આગામી તા.૪-૧૨-૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે.

આ કેમ્પમાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરેની સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. દર મહિનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. દર્દીઓએ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જરૂરી નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: