Saturday, December 24, 2022

અભિનેત્રી તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર આત્મહત્યા કરી – News18 Gujarati

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તુનીષાએ મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. SAB ટીવીની ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવનાર તુનીષા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસોથી સેટ પર થોડી ઉદાસ દેખાતી હતી.

20 વર્ષની તુનિષાએ ટીવી શો ‘ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુભાનલ્લાહ અને અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ જેવી સિરિયલોમાં જોવા મળી હતી.

તુનિષાએ 5 કલાક પહેલાં જ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં કેપ્શન લખ્યું હતું કે, ‘જે પોતાના ઝુનૂનથી પ્રેરિત હોય છે, તેઓ થોભતા નથી’.

Published by:Vivek Chudasma

First published:

Related Posts: