Thursday, December 22, 2022

આત્મહત્યા કરવા જતા વ્યક્તિને પોલીસે બચાવ્યો, સમા વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં ગઠિયા વૃદ્ધાના દાગીના ઉતરાવી ફરાર | A person who had reached Sursagar to commit suicide was rescued by the police, in the same area he took off the jewelry of an elderly man in the guise of the police and escaped.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Person Who Had Reached Sursagar To Commit Suicide Was Rescued By The Police, In The Same Area He Took Off The Jewelry Of An Elderly Man In The Guise Of The Police And Escaped.

વડોદરા11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરસાગર તળાવની ફાઇલ તસવીર. - Divya Bhaskar

સુરસાગર તળાવની ફાઇલ તસવીર.

  • ફેસબુક પર મિત્રતા કરી બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2 લાખ 94 હજાર પડાવ્યા

વડોદરા શહેર પોલીસ કંટ્રોલને ફોન આવ્યો હતો કે સુરસાગર સામે બંબાખાન પાસે હું ઉભો છું અને હું ઘર કંકાસથી કંટાળી આત્મહત્યા કરીશ. જેથી રાવપુરા પોલીસના જવાન સુરસારગ તળાવ પાસે પહોંચી ગયા હતા અને આત્મહત્યા માટે આવેલ વ્યક્તિને રેસ્ક્યુ કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના ગત 14 ડિસેમ્બરના રોજ બની હતી અને આત્મહત્યા કરવા આવનાર હાથે બ્લેડના ઘા મારી આવ્યો હોવાથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ સુરસાગર તળાવ પહોંચી
ગત 14 ડિસેમ્બરના રોજ પોલીસ કંટ્રોલ દ્વારા એક વ્યક્તિએ આત્મહત્યા માટે સુરસાગર પહોંચ્યાની માહિતી રાવપુરા પોલીસને આપી હતી. જેથી રાવપુરા પીસીઆર-13ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ સંગ્રામભાઇ અને ડ્રાયવર લોકરક્ષક પેલાજી ભગાજી સુરસાગર તળાવ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે મિતેશભાઇ નામના વ્યક્તિને ફોન લગાવ્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હતો. જેથી બંને પોલીસ જવાને તે વ્યક્તિની સુરસાગર કિનાર શોધખોળ જારી રાખી હતી.

મિતેશભાઇને સુરસાગર કિનારે પકડી લીધા
દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેમણે મિતેશભાઇને સુરસાગર કિનારે પકડી લીધા હતા. મિતેશભાઇના હાથમાં બ્લેડના ઘા મારેલા હોવાથી તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે પોતે ઘર કંકાસથી કંટાળી ગયા હોવાથી આત્મહત્યા કરવા માટે આવ્યા હતા. પોલીસે તેમનું કાઉન્સિલીંગ કરી ફરી તેઓ આવું પગલું નહીં ભરે તે માટે સમજાવ્યા હતા.

સમામાં પોલીસના સ્વાંગમાં ઠગ વૃદ્ઘાના દાગીના ઉતરાવી ફરાર
શહેરના સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા પાસે હંસાબેન નામની એક વૃદ્ઘા ઘંટીએ લોટ લેવા માટે જતાં હતા. આ દરમિયાન પોલીસના સ્વાંગમાં આવેલા બે ગઠિયાએ તેમને અટકાવ્યા હતા. અને આગળ મર્ડર થયું છે તમે દાગીના ઉતારીને થેલીમાં મુકી દો તેમ જણાવ્યું હતું. દાગીના થેલીમાં મુકતા સમયે હંસાબેનની નજર ચુકવી દાગીના લઇ ગઠિયા ફરાર થઇ ગયા હતા. પોતે ઠગાઇ ગયા હોવાની જાણ થતાં હંસાબેન સમા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ફેસબુકના માધ્યમથી વધુ એક આધેડને લૂંટાયા
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મુકેશભાઇ પટેલને ગત જુલાઇ મહિનામાં મીરા શાહ નામના ફેસબુક આઇડીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. તેમજ તેના પર ચેટ કરતા બિભત્સ ફોટા મોકલ્યા હતા. જ્યાર બાદ મુકેશ પટેલના ફોટાને ચેટ સાથે વાયરલ કરવાની ધમકી આપી મીરા શાહ નામના ફેસબુક આઇડી પરથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી ગભરાઇ ગયેલા આધેડે ટુકડે ટુકડે 2 લાખ 94 હજાર રૂપિયા આપ્યા હતા. છતાં રૂપિયાની માંગણી ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ જ આઇડી પરથી ગત મહિને એક વ્યક્તિને ફસાવનારા બે શખ્સો આકાશ ભગવાનદાસ લાલવાણી અને જય કાંતીભાઈ શર્મા (બંને રહે. વારસીયા રીંગરોડ, વડોદરા)ને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: