પોરબંદરમાં (Porbandar) છાશ પીવાને કારણે 18 જેટલા શ્રમિકો ઝાડા ઊલટીનો ભોગ બન્યા હતા. જેમની સારવાર ચાલી રહી છે જોકે છાશ પીવાને કારણે શ્રમિકો જે તકલીફનો ભોગ બન્યા તે ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.
પોરબંદરના આદિત્યાણાના વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર થઈ હોવાની ઘટના સામે આવી હતી. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલટી અને ચક્કર આવ્યા હતા. તમામ શ્રમિકોને ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે એવી વિગતો સામે આવી હતી કે આ શ્રમિકોએ ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના જ શરતચૂકથી તેમાં છાશ બનાવી હતી અને તે છાશ પીધી પણ હતી. આથી 18 શ્રમિકોને તેની અસર થતા તેઓ ઝાડા ઉલટીનો ભોગ બન્યા હતા. આ ઘટના બાદ 108 એમબ્યુલન્સ દ્વારા આ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા. હાલમાં આ શ્રમિકો સારવાર હેઠળ છે.