અમદાવાદ: ચીન સહિતના દેશોમાં કોરોનાનો કહેર વધતા ગુજરાત સહિત ભારતમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. અને ખાસ કરીને અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કે જ્યાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના લોકો આવી રહ્યાં છે તો ત્યાં પણ કોરોના ગાઈડલાઈ જારી કરી દેવામાં આવી છે. કોરોના ગાઈડલાઈનનો આજથી કડકપણે અમલ કરવામાં આવશે તેવી પણ જાહેરાત બીએપીએ સંસ્થા દ્વારા કરી દેવાઈ છે. જો આપ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત માટે જઈ રહ્યાં છો તો હવે કયા નિયમો પાળવા પડશે તે જાણવું પણ જરુરી છે.
વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભારત અને ગુજરાત સરકાર સાથે વિમર્શ કરીને જાહેર જનતા માટે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે એક ખાસ પ્રકારની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. જેનું આજથી કડકપણે પાલન કરવું પડશે. આ ગાઈડલાઈન પર નજર કરીએ તો…
સ્વામિનારાયણ નગર માટે આજથી SOP લાગુ
સ્વયંસેવકો અને હરિભક્તો માટે માસ્ક ફરજિયાત
કો-મોર્બીડ દર્દીએ મહોત્સવમાં ન આવવા અપીલ#NewsUpdate #Gujarat #Ahmedabad #coronavirus #guidelines pic.twitter.com/F7MGvU0JBO— News18Gujarati (@News18Guj) December 26, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Gujarat News, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav