- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Prufal Pansaria, Who Won The Kamrej Seat After Harsh Sanghvi In Surat, Got A Call At Night For The Ministerial Post, Kumar Kanani Was Cut Off.
16 મિનિટ પહેલા
- કૉપી લિંક

કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા મંત્રીમંડળમાં પસંદ કરાયા
સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં હર્ષ સંઘવીને ફરી એક વખત મંત્રી પદ મળે મળશે તેમ જ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાને પણ મંત્રી પદ મળવા જઈ રહ્યું છે.
પ્રફુલ પાનસેરીયાની પસંદગી કેમ?
પ્રફુલ પાનસેરીયા 2017 માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા તેમને સ્થાને વીડી ઝાલાવાડીયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરી એકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ધારાસભ્યો ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખૂબ જ એક્ટિવ રહ્યા હતા જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ લીધી હતી. સી આર પટેલે મંચ ઉપરથી કહ્યું હતું કે સેવા કરવા માટે કોઈ પદની જરૂરિયાત હોતી નથી. ભલે તમે ધારાસભ્ય કે અન્ય પદ પર ન હો છતાં પણ સુરતના પ્રફુલ પાસે ગયા જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કામ કરી રહ્યા છે સેવાકીય તે નોંધનીય છે. આ બાબત ધ્યાને આવતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળશે તેવી પૂર્ણ શક્યતા હતી. તેમને ટિકિટ મળ્યા બાદ વિજય થતા જ મંત્રી પદના દાવેદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા હતા. પ્રફુલ પાનસેરીયા વિવાદોથી દૂર રહે છે. ગત વખતે રૂપાણી સરકારમાં સુરતની બારેબાર બેઠકો જીતા પાટીદાર નેતાને મંત્રી પદ આપવું એ પ્રકારની ગણતરી હોવાને કારણે કુમાર કાનાણીને રાજ્ય આરોગ્ય મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આ વખતે કુમાર કાનાણીનો પણ ભવ્ય વિજય થયો છે છતાં પણ તેમના સ્થાને પ્રફુલ પાનસેરીયાને મંત્રી પદ આપવાનો નક્કી થયું છે.
સંતોનો આશીર્વાદ કામ લાગ્યો
કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે જે રીતે કતારગામ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાની હાર પાછળનું કારણ ધર્મ વિરોધી નિવેદન હોવાનું જાણવા મળી રહ્યું છે તેવી જ રીતે પ્રફુલ પાનસેરીયાનો સંતો પ્રત્યેનો પ્રેમ તેમને ફળી ગયો છે. એક તરફ બિલ્ડર લોબી પણ પ્રફુલ પાનસેરીયાની શહેરી વિકાસ વિભાગ મળે તેવા પ્રયાસો કરશે. સુરતના જાણીતા રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિઓ અને પ્રફુલ પાનસેરીયા ખૂબ સારા સંબંધો છે.
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા લેશે શપથ
સુરતમાંથી બે ધારાસભ્યોને ફોન આવતા તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી રાજ્યગૃહ મંત્રી તરીકે હતા તેમને ફરીથી મોટું મંત્રી પદ મળી શકે છે આ વખતે સ્વતંત્ર હવાલો પણ મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ ચર્ચા રહી છે. મોરબી ખાતે જ્યારે વડાપ્રધાન આવ્યા હતા ત્યારે પણ તેમણે તમામ સ્થિતિ અંગેની માહિતી હર્ષ સંઘવી પાસે લીધી હતી હર્ષ સંઘવીને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું. આ વખતે સૌથી રસાકસીવાળી બેઠક વરાછા રહી હતી પરંતુ કુમાર કાનાણીને બદલે પ્રફુલ પાનસેરીયાને મંત્રી પદ આપવામાં આવશે. પ્રફુલ પાનસેરીયાની શૈક્ષણિક લાયકાત પણ ખૂબ સારી છે તે પણ એક ફેક્ટર છે કે તેમને મંત્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.