Tuesday, December 20, 2022

Rajkot: Thalassemia minor dies after blood transfusion, serious allegation of family

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. થેલેસમિયાગ્રસ્ત સગીરાને લોહી ચડાવ્યા બાદ મોત થયાનો પરિવારનો આરોપ છે. થેલેસેમિયાગ્રસ્ત સગીરાને લોહી ચડાવાયું હતું. લોહી ચડાવ્યા બાદ રિએક્શન આવ્યું હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. રિએક્શન બાદ સારવાર દરમિયાન મોત થયું હોવાનો આરોપ છે. જ્યારે થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR લોહી ચડાવવાનુંહોય છે, ત્યારે RCC બ્લડ ફિલ્ટર વગર ચડાવાતું હોવાનો આક્ષેપ કરાયો છે.

પરિવારજનોનો રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ

થેલેસમિયાગ્રસ્ત સગીરાને લોહી ચડાવ્યા બાદ મોત થતાં તેના પરિવારજનોનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો છે. તેમના કહ્યા અનુસાર, LR મશીન ન હોવાને કારણે RCC બ્લડ ચડાવાય છે. RCC બ્લડને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રિએક્શન આવે છે. મોત પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઇ કારણો છે, તેની તપાસ ચાલી રહી છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Rajkot News, Thalassemia


Related Posts: