પાટણ18 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણવાડા બેતાળીસ ગોળ રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા નાઈ સમાજની વાડી, ચાણસ્મા હાઈવે રોડ હારીજ ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં દીપ પ્રાગટ્ય અને ડૉ. બાબાસાહેબના ફોટાને ફૂલહાર ધારાસભ્ય દિનેશજી ઠાકોર તથા ઓખાભાઈ, હોદ્દેદારો, વડીલો અને આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતુ.

તમામનું હાર્દિક સ્વાગત કરાયું
સંસ્થાના પ્રમુખ પ્રફૂલ કે.પરમાર દ્વારા આવેલા ધારાસભ્ય તેમજ આમંત્રિત મહેમાનો, બેતાલીસ ગોળ રોહિત સમાજના તેજસ્વી તારલા, નવ નિયુક્ત કર્મચારીઓ, વિશિષ્ઠ વ્યક્તિઓ, દાતાઓ
અને અગ્રણીઓ સહિત તમામનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના મંત્રી નાનજી વી.પરમાર દ્વારા સૌનું અભિવાદન કરી સંસ્થાનો ટૂંકમાં પરિચય અને ભાવિ આયોજન તેમજ સમાજના શૈક્ષણિક સંકુલ અને કૉમ્યુનિટી હોલના બાંધકામ અંગેની વિગતવાર માહિતી આપી હતી.

વિવિધ અગ્રણીઓનું સન્માન કરાયું
આ પ્રસંગે ધારાસભ્ય દિનેશજી ઠાકોરનું ફુલહાર, સાલ અને ડૉ. બાબાસાહેબનો ફોટો આપી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતીના પૂર્વ ચેરમેન અને પાંચસો પાટણવાડાના ભામાશા અને સંસ્થાના પૂર્વ પ્રમુખ ઓખા પરમારનું સાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. હારીજ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતીના ચેરમેન ભરત કાંતીભાઈ પરમારનું સાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સમાજના પ્રશ્નોને વાચા આપતાં અને બહોળો ફેલાવો ધરાવતાં અને 12માં વર્ષમાં પ્રવેશ કરતાં બાબુ.એચ. મેસરવાલાનું સાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું
આ પ્રસંગે મહેમાનો દ્વારા તેજસ્વી તારલાઓ પૈકી કુમારી હેલીશા જે ધોરણ 4માં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણે છે, જેને આટલી નાની ઉંમરમાં સમાજનું ગૌરવ વધારી ઇન્ટરનેશનલ કક્ષાએ 1 ગોલ્ડમેડલ, 3 રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ, 35 અન્ય મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત તેણીની 8 મિનિટમાં 200 ગણિતના દાખલા મેન્ટલી ગણવાની ક્ષમતા ધરાવે છે. તેનું ભવ્ય સન્માન કર્યું હતું. નવ સર્જનના સમાજિક કાર્યકારો, નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવનારા બાળકો, શૈક્ષણિક વર્ગના દાતાઓ તેમજ સ્વયંમ સેવકોને ડૉ. બાબા સાહેબનો ફોટો, સન્માનપત્ર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પ્રાસંગિક પ્રવચનમાં સમાજની શિક્ષણ તરફની હરણફાળ, તમામને સન્માનિત કરવાની સમાજની પહેલને બિરદાવી સમાજના બનનાર શિક્ષણ સંકુલમાં યોગદાન આપવાની ખાતરી આપી હતી.

બાળકોને શિક્ષણ આપવા પર ભાર મુકાયો
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઓખાભાઈએ આશીર્વચન આપી શૈક્ષણિક સંકુલના બાંધકામ પેટે રૂ.2 લાખ 51 હજારના દાનની જાહેરાત કરી હતી. બાબુ મેસરવાલાએ પ્રાસંગિક પ્રવચનમાં આ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી તમામ હોદ્દેદારો, કાર્યકરો, દાતાઓને અભિનંદન પાઠવ્યાં હતા. સમાજ વ્યસન મુક્ત, કુરિવાજો, અંધશ્રદ્ધા વગેરે બિનજરુરી ખર્ચામાંથી મુક્ત થઈ પોતાના બાળકોને શિક્ષણ આપવા ઉપર ભાર મૂકી ડૉ. બાબાસાહેબના જીવનની ઝલક આપી હતી.

આ સમારોહનું સફળ સંચાલન સમાજસેવક અને શિક્ષક અમૃત સોલંકી, મહેશ વડાલિયાએ સુંદર એન્કરિંગ કર્યું હતુ. સમાજના દાતાઓએ દાન આપી સમાજના આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા પ્રેરણા પુરી પાડી હતી. સંસ્થાના સંગઠન મંત્રી વિરમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમને મોટી જહેમત ઉઠાવી છે, તે તમામ હોદ્દેદારો, આજીવન સભ્યો, સ્વંયસેવકો, મહાનુભાવો, તેજસ્વી તારલાઓ, કર્મચારીગણ, સમારોહમાં મોટી સંખ્યામાં બેતાલીસ ગોળ રોહિત સમાજના અગ્રણીઓ, તેમજ ભાઈઓ-બહેનો અને બાળકો હાજર રહી આ સમારંભને સફળ બનાવ્યો હતો. તેવા સૌ નામી અનામીનો આભાર માન્યો હતો. અશોક ગણપતભાઈ ગામ સોઢવ જેઓના દ્વારા કાર્યક્રમમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આમ નરેન્દ્ર એમ પરમાર નવ સર્જન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું.

સમાજના એક જ વર્ષ 2021 -22માં
- સમાજ ના એક જ વર્ષ 2021 -22 માં
- 4 પીએચ.ડી
- 1 ધોરણ.12 કોમર્સ માં ગોલ્ડ મેડલીસ્ટ
- 1 બી.એડ માં કેન્દ્ર માં પ્રથમ
- 6 ડૉક્ટર,(તબીબી)
- 10 ભાવિ ડોક્ટર
- 1 પી.એસ.આઈ
- 7 એલ.આર.ડી
- 3 સ્ટાફ નર્સ
- 3 આરોગ્ય અધિકારી
- 1 સોફ્ટ વેર એન્જી.(ઈસરો)
- 1 એમ.ટેક, બોસ્ટન યુનિવર્સીટી અમેરિકા
- 1 આઈ.ટી.એન્જીનીયર
- 1 સિવિલ એન્જીનીયર
- 2 ટેક્નિકલ સુપરવાઈઝર
- 2 ઇલેક્ટ્રિકલ લાઈન મેન
- 5 માધ્યમિક શિક્ષક
