રાજકોટ31 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજપુત કરણીસેના ગુજરાત અધ્યક્ષ જે.પી. જાડેજા
ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળની રચના કરવામાં આવી છે. જેમાં અનેક જ દિગ્ગજ ધારાસભ્યોના પત્તા કપાયા છે. ત્યારે આ મામલે રાજપુત કરણીસેના ગુજરાત અધ્યક્ષ જે.પી. જાડેજાએ ભાજપ પર સૌરાષ્ટ્ર-કચ્છના ધારાસભ્યો સાથે અન્યાય કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના કારણ રાજ્યનો વિકાસ નહીં થાય તેવી ટકોર પણ કરી હતી.
વિકાસ કેવી રીતે થશે!
આ અંગે જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે,ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે. ત્યારે તાજેતરમાં જ નવા પ્રધાન મંડળ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના દિગ્ગજ ભાજપના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું નથી. એવામાં આ વિસ્તારોનો અને ગુજરાતનો વિકાસ કેવી રીતે થશે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને પ્રધાન મંડળમાં સમાવવા માટેની જે.પી. જાડેજાએ ઉગ્ર માંગણી કરી છે.
કચ્છના એક પણ MLAનો સમાવેશ નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,નવા પ્રધાન મંડળમાં કચ્છના એક પણ ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે પ્રધાન મંડળમાં કચ્છનો એક પણ પ્રતિનિધિ ન હોવાના કારણે તેનો વિકાસ કેવી રીતના થશે. ઉલ્લેખનીય છે કે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રધાન મંડળમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને ઘોર અન્યાય થયા હોવાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને ફરી એકવાર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.
સૌરાષ્ટ્રના ક્યા નેતાની બાદબાકી થઈ
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર જીતનારાને અત્યાર સુધી મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ થઈ રહ્યું છે. ડો. દર્શિતા શાહે જંગી લીડથી વિજય રૂપાણીની બેઠક પરથી જીત મેળવી છતા મંત્રી પદ તેમનાથી અળગું રહ્યું છે. આ વખતે રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બાબરિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. પરંતુ સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા અને યુવ વયે રૂપાણી સરકારમાં મંત્રી બનેલા જયેશ રાદડિયાનો કેબિનેટમાં સમાવેશ થયો નથી. બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ અને જેતપુર બેઠક પર જંગી લીડ સાથે વિજેતા બનેલા જયેશ રાદડિયાની બાદબાકી થઈ છે. રીવાબાની પણ બાદબાકી થઈ છે.