નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાત વ્યવયામ પ્રચારક મંડળના પ્રમુખ, ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ કેન્દ્રના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર એવા દિનશા પટેલ દ્વારા તેમની શૈક્ષણિક બે સંસ્થા છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના પરિસર છોટુભાઈ પુરાણીની અને અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે અંબુભાઈ પુરાણીની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં આવતા વિધાર્થીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આંબુભાઈ પુરાણીની પ્રતિમાનું અનાવરણ
પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમા દિનશા પટેલ સાથે રાજપીપલા સ્ટેટના મહારાજા રઘુવીરસિંહ અને મહારાણી રુક્મણિ દેવી, સમગ્ર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના અધ્યક્ષ ડો.ચૈતન્ય પટેલ, ડો.કરણસિંહ ગોહિલ, કોલેજના પ્રિન્સિપલ ડો.રાજેન્દ્રસિંહ ગોહિલ, સહીત તમામ ટ્રસ્ટ્રીઓ અને ગુજરાત વ્યવયામ પ્રચારક મંડળ સાથે સંકળાયેલ આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય સહિત દેશમાં સેવાકાર્યોની ધૂણી ધખાવનાર ગુજરાતમાં વ્યાયામ ગંગા વહાવનાર સ્વાત્રંત્ર સેનાની ક્રાંતિવીર અને ગુજરાતમાં પ્રથમ શારીરિક શિક્ષણ કોલેજના પ્રણેતા છોટુભાઈ પુરાણીની પ્રતિમા અને સ્કૂલ ખાતે તેમના નાનાભાઈ આંબુભાઈ પુરાણીની પ્રતિમાનું અનાવરણ સંસ્થાના પ્રમુખ દિનશા પટેલે કર્યું હતું.

બંને મહાનુભાવોએ અનેક સેવાના કર્યો કર્યા: દિનશા પટેલ
આ બાબતે દિનશા પટેલે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ એવા મહાનુભાવની પ્રતિમા પરિસરમાં મુકવામાં આવી હોય તો ભલે એ બોલતી નથી, પરંતુ આપણને એનાથી પ્રેરણા મળે છે. આશીર્વાદ મળે છે. આજે આ પુરાણી બંધુઓની હાંક આખા ગુજરાતમાં વાગતી, બંને મહાનુભાવોએ અનેક સેવાના કર્યો કર્યા છે. મને ગર્વ છે કે આ મહાન વિભૂતિઓની પ્રતિમાઓનું અનાવરણ મારા હાથે કરવામાં આવ્યું, હું પોતાને ધન્ય માનું છું.

‘શારીરિક શિક્ષણના શિક્ષકોની અસત’
આ સાથે દિનશા પટેલેએ પણ વાત કરી કે ગુજરાત સરકાર ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન કરે છે. પરંતુ તેઓ શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરતા નથી. જો કોચ નહીં હોય તો સારા પ્લેયર્સ તૈયાર નહીં થાય, એ માટે અનેક રજૂઆતો કરી સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ કે અલગ ભરતી કરવી જરૂરી છે ની વાત કરી હતી.