પાટણ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગતરોજ યુનિવર્સિટી ના ભાષા ભવનના પાણીના ટાંકા માંથી ફોંગાયેલી અવસ્થામાં ભૂંડના બે મૃતદેહ મળી આવ્યા હતા . જે ખુબજ ગંભીર બાબત ગણી શકાય .વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું હતું પરંતુ સદનસીબે આવું ગંદુ પાણી પીવાથી કોઈ વિદ્યાર્થીઓ ની તબિયત બગડી નહોતી .ત્યારે યુનિ ની આવી ગંભીર બેદરકારી બદલ અ.ભા.વી. ૫. દ્વારા યુનિવર્સિટી દરેક વિભાગો ની પાણી ની ટાંકીઓ સમયાંતરે સાફ કરવામાં આવે અને આ ઘટના ની અંદર જે પણ વ્યકિત સંકળાયેલ હોય તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આવી ઘટના ના બને તેની બાહેધરી આપવામાં આવે તે સંદર્ભે યુનિવર્સિટી ના ડેપ્યુટી રજીસ્ટર ના મારફતે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને આજરોજ એબીવીપી દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત એનએસયુઆઈ દ્વારા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવાયુ હતુ કે યુનિવર્સિટીમાં ગત સાંજે ભાષા ભવન ખાતે પાણીના ટાંકાની અંદરથી મૃત હાલતમાં ભુંડના બે બચ્ચા મળી આવ્યા હતા .જે કોહવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તે બચ્ચા આશરે 7 થી 8 દિવસથી પડ્યા હોઈ આ પાણી આર.ઓ. પ્લાન્ટ સાથે વપરાશમાં આવતુ હોવાથી ત્યાંના વિદ્યાર્થી તેમજ અધ્યાપકો દ્વારા પીવામાં પણ આવતુ હતુ તો તેઑનુ આરોગ્ય ઍક ચિંતાનો વિષય બન્યો છે તથા આ અન્વયે યુનિ ના બીજા વિભાગો ની તપાસ કરતાં જાણવા મળ્યુ છે કે બીજા ઘણા બધા ટાંકાઓના ઢાંકણા પણ ન હૉઈ તૉ યુનિવર્સિટી જવાબદાર વ્યકિત તેમજ બાંધશાખા પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે તેમજ તમામ ટાંકાઓ પર ઢાંકણા લગાવવામાં આવે તેવી માંગણી કરી હતી.