રાહદારીએ પોલીસને આપી માહિતી
આજે સુરતના અડાજણ કેબલ બ્રિજ પરથી ત્યજેલા બાળક અંગેની માહિતી પોલીસને મળી હતી. આ બ્રિજ પરથી પસાર થઇ રહેલા એક રાહદારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે જ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. કોઈ અજાણ્યા દ્વારા પાપ છુપાવવા બાળક મૂકી ફરાર થઈ ગયા હોવાની શંકા સેવાઇ રહી હતી. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ 317 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્રિજ પર ત્યજી દેવામાં આવેલું બાળક કોનું છે અને ક્યાં કારણોસર, કોણ બાળકને મૂકી ગયું તે દિશામાં તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતમાં ત્યજેલા બાળક અંગે CCTV સામે આવ્યા, એક દંપતી બાળકને ત્યજીને ફરાર#Surat pic.twitter.com/TdrBGDKAYJ
— News18Gujarati (@News18Guj) December 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CCTV footage, Gujarat News, Surat news